22 April, 2020 04:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સુનીલ લહરી અને કાર્તિક આર્યન
રામાયણ દૂરદર્શન પર ફરીથી ટેલિકાસ્ટ થવાના કારણે આ શૉના બધા પાત્રો ઘણા ફૅમસ થઈ ગયાછે. શૉના દરેક પાત્રોની સોશિયલ મીડિયા પર શોધ ચાલી રહી છે. સુનીલ લહરીએ રામાયણમાં લક્ષ્મણના રોલને જીવંત રાખ્યો છે. સુનીલ લહેરીની સ્માઈલ પર સોશિયલ મીડિયા પર છવાયેલી છે. ફૅન્સે એમની સ્માઈલને કિલર ગણાવી છે.
કાર્તિક આર્યનની એક્ટિંગના લોકો દીવાના તો છે જ, તે પોતાના લાંબા-લાંબા મોનોલૉગના કારણે વધારે પોપ્યુલર થયા. કાર્તિકને ફૅન્સ મોનોલૉગના માસ્ટર માને છે. પરંતુ લાગે છે કે હવે આ ટેગ કાર્તિક આર્યનથી છીવનાઈ જશે. ચાહકોને લાગે છે રામાયણમાં લક્ષ્મણનો રોલ ભજવી રહેલા સુનીલ લહરી મોનોલૉગ બોલવામાં કાર્તિક આર્યન કરતા વધારે એક્સપર્ટ છે.
હાલ ટીવી પર ઉત્તર રામાયણ ચાલી રહી છે. વનવાસવાળા એપિસોડમાં લક્ષ્મણ માતા સીતાનો પક્ષ લેતા ગુસ્સામાં ઘણો લાંબો મોનલૉગ બોલી જાય છે. તેઓ સીતા મૈયાની પવિત્રતા અને આપવીતી ભગવાન રામને જણાવે છે. સીતાએ રામ માટે જે પણ ત્યાગ આપ્યો એનો ઉલ્લેખ પણ કરે છે. બસ હવે લોકો કાર્તિક આર્યનની તુલના સુનીલ લહરી સાથે કરી રહ્યા છે. જ્યા જુઓ ત્યાં ઈન્ટરનેટ પર લક્ષ્મણ અવતારમાં સુનીલ લહરી જ છવાયેલા છે.
આ પણ જુઓ : Deepika Chikhalia: 'રામાયણ'ની સીતા મૈયા અત્યારે કેવું જીવન જીવે છે, જુઓ તસવીરો
કાર્તિક આર્યને પોતાની વધારે ફિલ્મોમાં લાંબા મોનોલૉગ સીકવેન્સ કર્યા છે. ફિલ્મ પ્યાર કા પંચનામામાં પોતાના મોનોલૉગના કારણથી કાર્તિક આર્યન ફૅન્સના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યા હતા.
જણાવી દઈએ કે સુનીલ લહરીની એક્ટિંગ, લુક્સ, એનર્જી અને સ્માઈલના લોકો દીવાના થઈ ગયા છે. તેઓ ઘણી ફિલ્મોમાં પણ કામ કરી ચૂક્યા છે.