પૂજા બૅનરજીને નાનપણમાં કેમ રૂમમાં પૂરી દેવામાં આવતી?

12 April, 2021 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘કુમકુમ ભાગ્ય’ ફેમ ઍક્ટ્રેસ પૂજા બૅનરજીએ પોતાના ભાઈઓ સાથેની કઈ યાદોને વાગોળી?

પૂજા બૅનરજીને નાનપણમાં કેમ રૂમમાં પૂરી દેવામાં આવતી?

ઝીટીવીના શો ‘કુમકુમ ભાગ્ય’માં અભિ અને પ્રજ્ઞાની દીકરી રિયાનો રોલ કરતી ઍક્ટ્રેસ પૂજા બૅનરજીએ સિબલિંગ્સ ડે નિમિત્તે પોતાના ભાઈઓ સાથેની ખાટી-મીઠી વાતો વાગોળી હતી. પૂજાના બે ભાઈ છે અને તે વચલી બહેન છે. તેમની સાથેના બૉન્ડિંગ વિશે વાત કરતાં પૂજા કહે છે, ‘મારા બે ભાઈઓ છે, નીલ મોટો ભાઈ છે અને આકાશ નાનો. હું વચેટ છું. અમારા બૉન્ડની ખાસિયત એ રહી છે કે અમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં સાથે ખુશ રહેતાં હતાં અને એ જ વાત હું અત્યારે મિસ કરી રહી છું. અમે બાળપણમાં લડતાં પણ ખૂબ હતાં અને એટલું બધું લડતાં કે અમને અભ્યાસ માટે અલગ-અલગ રૂમમાં પૂરી દેવામાં આવતાં! જોકે એમ છતાં જ્યારે મમ્મી અમારા પર ખિજાતી ત્યારે અમે એકબીજાનો બચાવ કરવા તૈયાર રહેતાં અને ફરી લડવા મંડી પડતાં! ખબર નહીં, મમ્મી અમારા જેવાં ત્રણ તોફાની ભાઈ-બહેનને કઈ રીતે સાચવતી, પણ હા, હું મારા બન્ને ભાઈઓને અત્યંત પ્રેમ કરું છું.’
એમટીવીના શો ‘રોડીઝ’થી ટીવીની સફર શરૂ કરનારી પૂજાએ ‘સાથ નિભાના સાથિયા’, ‘ચંદ્રકાન્તા’, ‘દિલ હી તો હૈ’, ‘કસૌટી ઝિંદગી કી 2’, ‘કુમકુમ ભાગ્ય’ જેવા ટીવી-શોમાં કામ કર્યું છે અને Alt બાલાજીના શો ‘કહને કો હમસફર હૈ’માં પણ તે મહત્ત્વના રોલમાં છે. 

television news indian television entertainment news