મનુ પંજાબીએ ‘ખતરોં કે ખિલાડી’ કરવાની કેમ ના પાડી દીધી?

08 April, 2021 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બિગ બૉસમાં સર્વાઇવ કરનાર મનુ પંજાબીને કીડામકોડાથી કંટાળો આવે છે

મનુ પંજાબી

બિઝનેસમૅન અને રિયલિટી શો ‘બિગ બૉસ’ની દસમી સીઝનમાં સામાન્ય વ્યક્તિ તરીકે એન્ટર થયેલા મનુ પંજાબીએ અન્ય એક રિયલિટી શોમાં ભાગ લેવાની ના પાડી દીધી છે. સામાન્ય રીતે લાઇમલાઇટમાં રહેવા લોકો રિયલિટી શોનો ભાગ બનતા હોય છે. મનુ પંજાબી ‘બિગ બૉસ’ની દસમી બાદ ૧૪મી સીઝનમાં પણ દેખાયો હતો અને એના થકી જ લોકો તેને ઓળખે છે.
વાત એમ છે કે સ્ટન્ટ બેઝ્ડ રિયલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની આગામી આઠમી સીઝનમાં મનુ પંજાબીએ પાર્ટિસિપેટ કરવાનો અસ્વીકાર કર્યો છે. કારણ આપતાં તેણે કહ્યું હતું કે ‘હું ચીતરી ચડે એવાં પ્રાણીઓ સહન નથી કરી શકતો. આ રિયલિટી શો છે અને હું માનું છું કે એમાં હું રિયલમાં જેવો હોઉં તેવા મારે દેખાવાનું હોય. અને આ મારા ટાઇપનો શો જ નથી, કેમ કે એમાં સ્પર્ધકો પર વિચિત્ર જંતુઓ નાખવામાં આવે છે. મને તો મૅગેઝિનમાં પણ કીડામકોડા જોઈને કંટાળો આવે છે, આ તો રિયલ છે.’ 
મનુ પંજાબીએ તાજેતરમાં જ ક્રિકેટની થીમ પર એક મ્યુઝિક વિડિયો શૂટ કર્યો છે. તેણે કહ્યું હતું કે ‘મારી ઇમેજ રોમૅન્ટિક હીરોની નથી અને હું મારી જાતને સ્ક્રીન પર હિરોઇનને ચેઝ કરતો નથી કલ્પી શકતો. હું જે નથી એવું ઍક્ટ નથી કરી શકતો.’

television news indian television entertainment news