10 August, 2022 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાયરા બૅનરજી
નાયરા બૅનરજીનું કહેવું છે કે ‘પિશાચિની’નું પાત્ર ભજવવા પહેલાં તેની મમ્મીએ તેને શાંતિ હવન કરવાની સલાહ આપી હતી. કલર્સ પર આવતા ‘પિશાચિની’માં નાયરા રાની એટલે કે પિશાચિનીનું પાત્ર ભજવી રહી છે. તે એક ઇમ્મૉર્ટલ ઈવિલ હોય છે. આ પાત્ર વિશે વાત કરતાં નાયરાએ કહ્યું હતું કે ‘મેં જ્યારે આ શોની સ્ટોરી મારી મમ્મીને કહી ત્યારે એ સાંભળીને ખૂબ જ ઉત્સુક થઈ ગઈ હતી. તેને મારું પિશાચિનીનું પાત્ર ખૂબ જ પસંદ પડ્યું હતું. જોકે હું ઈવિલ પાત્ર ભજવી રહી હોવાથી તેને થોડી ચિંતા પણ હતી. તે થોડી ધાર્મિક હોવાથી હું આ પાત્ર કરું કે નહીં એની અવઢવમાં હતી. જોકે અંતે તેણે મને શાંતિ હવન પૂજા કરવા કહ્યું હતું જેથી હું દરેક પ્રકારની નેગેટિવિટીથી દૂર રહું. મમ્મી હોવાથી તેને ચિંતા રહે એ સ્વાભાવિક છે.’