કઈ અફવાઓ પર ધ્યાન નથી આપતો પ્રણવ મિશ્રા?

07 December, 2021 02:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રણવે અગાઉ ‘જોધા અકબર’, ‘ઇન્ટરનેટવાલા લવ’ અને ‘નાગિન’ જેવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. એકતા કપૂરની સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 2’ બંધ થશે એ વિશે પ્રણવે કહ્યું હતું કે ‘મારું માનવુ છે કે મારું કામ ઍક્ટિંગ કરવાનું છે.

પ્રણવ મિશ્રા

પ્રણવ મિશ્રાનું કહેવું છે કે તેનો શો ‘બડે અચ્છે લગતે હૈં 2’ બંધ થવાનો છે એવી અફવાઓ પર તે ધ્યાન નથી આપતો. પ્રણવે અગાઉ ‘જોધા અકબર’, ‘ઇન્ટરનેટવાલા લવ’ અને ‘નાગિન’ જેવી સિરિયલ્સમાં કામ કર્યું હતું. એકતા કપૂરની સિરિયલ ‘બડે અચ્છે લગતે હૈં 2’ બંધ થશે એ વિશે પ્રણવે કહ્યું હતું કે ‘મારું માનવુ છે કે મારું કામ ઍક્ટિંગ કરવાનું છે. પછી ભલે સેટ પર પહેલો દિવસ હોય કે છેલ્લો દિવસ હોય. હું સખત મહેનત અને સારું પર્ફોર્મ કરવામાં માનું છું. બાકી બધું તો નસીબ પર આધાર રાખે છે. એ અફવાઓ મારા પર વધુ અસર નથી કરતી અથવા તો એ મને અસુરક્ષિત પણ નથી બનાવતી. હું કોઈ પણ પ્રકારની અસલામતીની લાગણી સાથે નથી જીવતો. હું હંમેશાં દરેક પ્રકારની અનિશ્ચિતતાઓ માટે તૈયાર રહું છું જે દરેકના જીવનનો ભાગ છે. વ્યક્તિગત રીતે હું માનું છું કે મારી લાઇફની જ કોઈ ગૅરન્ટી નથી તો અન્ય વસ્તુઓ સલામત કઈ રીતે રહી શકે? એથી હું લાઇફની દરેક ક્ષણને એન્જૉય કરું છું.’

television news indian television entertainment news