08 April, 2021 02:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સંતોષીમાએ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે શું સલાહ આપી?
ગઈ કાલે વર્લ્ડ હેલ્થ ડે હતો. કોવિડની મહામારી વચ્ચે આવેલા આ વર્લ્ડ હેલ્થ ડેના દિવસે એન્ડ ટીવીના શો ‘સંતોષી મા-સુનાએ વ્રત કથાએં’માં સંતોષી માનું કૅરૅક્ટર કરતી ગ્રેસી સિંહે કહ્યું હતું કે આજના સમયમાં આ દિવસનું મહત્ત્વ વધી જાય છે. જો હેલ્થની બાબતમાં હવે વધારે સ્ટ્રૉન્ગ બનવું હશે તો ન્યુ નૉર્મલને સહજ રીતે સ્વીકારીને આપણે આપણો જૂનો કમ્ફર્ટ ઝોન તોડવો પડશે. કમ્ફર્ટ ઝોન તૂટશે તો જ ન્યુ નૉર્મલ પણ સાચા અર્થમાં નૉર્મલ લાગવા માંડશે.
ગ્રેસી સિંહે કહ્યું હતું, ‘આપણે એક્સરસાઇઝ કરવી પડશે અને આપણે જન્ક ફૂડને તિલાંજલિ આપવી પડશે અને આ બન્ને વાત અત્યાર પૂરતી જ નહીં, લાઇફટાઇમ માટે યાદ રાખવી પડશે. હવે હેલ્થની બાબતમાં સજાગ રહેવું અને જાગૃતિ રાખવી જ બેસ્ટ છે. કોવિડની મહામારી આપણે જોઈ લીધી, આ વાઇરસ સાથે રહેવાનું છે અને એ વાઇરસને સાથે રહીને હરાવવાનો છે તો આપણે શું કામ હવે તંદુરસ્ત લાઇફસ્ટાઇલ ન અપનાવીએ?’ સવારે છ વાગ્યે જાગવું અને રાતે દસ વાગ્યે સૂઈ જવું એ જ બહેતર લાઇફસ્ટાઇલ કહેવાય એવું પણ ગ્રેસીએ કહ્યું હતું.