23 September, 2020 04:15 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા
નાના પડદાનો સૌથી પ્રખ્યાત અને કૉમેડી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah) શૉ દર્શકોનો 12 વર્ષથી મનોરંજન કરતો આવ્યો છે. આ શૉના દરેક પાત્રોએ પોતાના ફૅન્સના દિલમાં એક જગ્યા બનાવી લીધી છે. આ શૉની ખાસ વાત એ છે કે શૉના બધા કલાકારોની એક અલગ ફૅન ફૉલોઈંગ છે. શૉમાં જેઠાલાલ અને દયાબેનના પાત્રએ ફૅન્સના દિલમાં એક અલગ છાપ છોડી છે. શૉના ફૅન્સ ઘણા સમયથી શૉની લીડ એક્ટ્રેસ દિશા વાકાણીની રાહ જોઈ રહ્યા છે. દયાબેને દોઢ વર્ષ પહેલા જ મેટરનિટી લીવ લીધી હતી, ત્યારબાદ તેણે વાપસી કરી નથી.
જોકે તારક મહેતા શૉ છેલ્લા 12 વર્ષથી લોકોનું મનોરંજન કરતો આવ્યો છે, થોડા સમય પહેલા જ આ સીરિયલે તેરમાં વર્ષમાં એન્ટ્રી મારી છે. આ સાથે જ આ શૉ ટૂંક સમયમાં 3000 એપિસોડ પૂરા કરવાનો છે. શૉના નિર્માતા અસિતકુમાર મોદીએ આ અંગે માહિતી આપી છે. આ સારા સમાચાર આવતાની સાથે જ બધા ચાહકો તેમની પાસેથી દયા બેનને પાછો લાવવાની ડિમાન્ડ કરી રહ્યા છે.
રવિવારે, શૉના નિર્માતા અસિતકુમાર મોદીએ ટ્વિટર દ્વારા ફૅન્સને 3000 એપિસોડ પૂરા થવાની જાણકારી આપી હતી અને સાથે લખ્યું હતું, પ્રિય અને આદરણીય દર્શકો, અમે 24 સપ્ટેમ્બર 2020ના રોજ 3000 એપિસોડ પૂરા કરી રહ્યા છે.
અસિતકુમાર મોદીનું ટ્વિટ સામે આવતા જ સતત બધા ફૅન્સ દયાબેન ઉર્ફે દિશા વાકાણીને શૉમાં પાછા જોવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યા છે. એક યૂઝરે લખ્યું, તમને અને તમારી તારક મહેતા શૉની ટીમને 3000 એપિસોડ માટે ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભેચ્છા. સર, પણ તમને એક વિનંતી છે. સર પ્લીઝ, કૃપા કરીને દયા ભાભી અને જૂના સોઢી પાજીને શૉમાં લાવો.
આ સિવાય કેટલાક યૂઝર્સે જૂનો સોઢી અને સોનૂના પાત્રોને પાછા લાવવા માટે પ્રોડ્યૂસરથી વિનંતી કરી છે. એક યુઝરે નારાજગી વ્યક્ત કરતાં લખ્યું, 'અભિનંદન હો સર, પરંતુ આજકાલ લોકો કેટલાક ફેરફારોને કારણે તમારો શૉ જોઈ રહ્યા નથી, જેમ કે દિશા વાકાણી(દયાબેન) શૉમાં નથી અને તમે સોઢી અને સોનૂને પણ બદલી દીધા છે. બીજાએ લખ્યું, પોપટના લગ્ન પણ હવે કરાવી દો. સીરિયલ બોરિંગ થઈ રહી છે. દયાબેનને પણ પાછા લઈ આવો.
આ પણ જુઓ : મળો 'તારક મહેતા'ની નવી અંજલી ભાભીને, છે આટલી હૉટ અને ગ્લેમરસ, જુઓ તસવીરો
બધા જાણે જ છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સબ ટીવીનો સૌથી ચર્ચિત કૉમેડી શૉ છે, આ એક એવો શૉ છે જેને દરેક ઉંમરના લોકોને જોવો ગમે છે. આ શૉના બધા પાત્રો ઘણી સારી એક્ટિંગ કરે છે અને લોકોનું મનોરંજન પણ કરતા રહે છે. દરેક કેરેક્ટર ઘણી સુંદર રીતે પોતાનું પાત્ર ભજવતા રહે છે. 4 મહિનાથી થયેલા લૉકડાઉનના લીધે જૂના એપિસોડ પ્રસારિત કરવામાં આવ્યા હતા. શૉમાંથી અંજલિ ભાભીનો રોલ ભજવતી નેહા મહેતા અને રોશનસિંહ સોઢીનું પાત્ર ભજવનાર ગુરૂચરણ સિંહે આ શૉને બાય-બાય કહીં દીધું છે અને એમની જગ્યા પર સુનૈના ફોજદાર અને બલવિન્દર સિંહ સૂરીએ એન્ટ્રી મારી લીધી છે. શૉની લીડ એક્ટર દિશા વાકાણીએ થોડા સમય પહેલા જ કમબૅક માટે શૂટિંગ પણ કરી હતી. પણ તે શૉને વધારે સમય આપવા નથી માંગતી. એવામાં મેકર્સ અને એની વચ્ચે વાતચીત નથી થઈ. હાલ દરેક લોકો દિશા વાકાણીની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે.