'તારક મેહતા.....'શૉના પ્રોડ્યૂસર જ નથી ઈચ્છતા કે દયા બેન પાછા ફરે

21 November, 2019 06:22 PM IST  |  Mumbai

'તારક મેહતા.....'શૉના પ્રોડ્યૂસર જ નથી ઈચ્છતા કે દયા બેન પાછા ફરે

દિશા વાકાણી

Taarak Mehta Ka Ooltah Chashmah: દિશા વાકાણીની વાપસીને લઈને ઘણા વાદ-વિવાદ થઈ રહ્યા છે કારણકે શૉના મેકર્સ નથી ઈચ્છતા કે દયા બેન શૉમાં પાછા ફરે. સમાચાર હવે એવા સામે આવી રહ્યા છે કે હવે અસિતકુમાર મોદી જ નથી ઈચ્છતા કે દિશા વાકાણી શૉમાં પાછા ફરે.

શૉ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં લાંબા સમયથી દયા બેનની રાહ જોવાઈ રહી છે. એવામાં હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે શૉના પ્રોડ્યૂસર નથી ઈચ્છતા છે કે તારક મેહતામાં દિશા વાકાણી પાછી ફરે.

જણાવી દઈએ કે દિશા પોતાની પ્રેગ્નેન્સીના સમયથી શૉથી દૂર રહી હતી. બાદ એવા સમાચાર આવ્યા કે પાછા આવવા પર દિશાએ કેટલીક શરતો મૂકી છે તે પોતાની દીકરીની સંભાળ કરવા માંગે છે એવામાં તે થોડો જ સમય કામને આપી શકશે.

આ સિવાય અફવાહ એ પણ હતી કે દિશાના પતિ મયૂર પંડ્યા દિશાના નિર્ણયની વચ્ચે આવ્યા. એવામાં શૉના પ્રોડયૂસર અસિતકુમાર મોદી ઈચ્છતા હતા કે દિશા શૉમાં જલદી પાછા ફરે અને દિશા માટે આ સંભવ નહોતું. દિશાની શરત અસિતને સારી નહીં લાગી એના બાદ એમણે દયા બેન વગર શૉ શૂટ કરવાનું શરૂ કરી દીધું.

આ પણ જુઓ : બર્થ-ડે પર દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ, જુઓ

ફૅન્સના મનમાં દિશાની વાપસીને લઈને હજી આશા વધી ગઈ હતી. બાદ સુંદર અને જેઠાનો સીકવેન્સ પણ બતાવ્યો હતો જેમાં હિન્ટ આપવામાં આવી હતી કે સુંદર પોતાની દીદી દયા બેનને ગોકુલધામ લઈને આવ્યા છે. પરંતુ અને સુંદરે જેઠાલાલ આગળ શરત રાખી હતી કે 9 ઘુંઘટવાળી મહિલાઓમાં દયા બેન કઈ છે આ જ એપિસોડમાં લોકોની આશા જાગી ગઈ હતી કે આમાં જ દયા બેન છે પણ આવું થયું નહીં. બાદ ફૅન્સ નિરાશ થઈ ગયા હતા.

taarak mehta ka ooltah chashmah dilip joshi television news entertaintment