03 August, 2021 09:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રાવણમાં ઉપવાસ કરે છે શિવજીની ભક્ત મદ્રાક્ષી મુંડલે
મદ્રાક્ષી મુંડલે શિવજીની ભક્ત છે અને તે શ્રાવણ મહિનામાં ઉપવાસ પણ કરે છે. સોની પર આવતા ‘વિઘ્નહર્તા ગણેશ’માં તે પાર્વતીમાતાનું પાત્ર ભજવી રહી છે. તે પાર્વતીમાનું પાત્ર ભજવે છે, પરંતુ તે શિવજીની ભક્ત છે અને શ્રાવણ પણ પાળે છે. આ વિશે વાત કરતાં મદ્રાક્ષીએ કહ્યું કે ‘હું બાળપણથી જ શિવજીની ખૂબ મોટી ભક્ત છું. શ્રાવણનો દિવસ હોય કે પછી આજનો દિવસ હું મારી મમ્મીને ફૉલો કરું છું. હું ઉપવાસ કરું છું અને શિવજીની પૂજા કરું છું. મને એટલી ખબર છે કે તમારી પ્રાર્થનાનો સ્વીકાર તમે વિચાર્યું ન હોય ત્યારે થાય છે અને એ ખૂબ સારી રીતે થાય છે. પાર્વતીમાતાના રોલ માટે હું સોનીનો અને અભિમન્યુ સર તથા રૂપાલીજીનો આભાર માનું છું.’