એલેનાનું પાત્ર મારા દિલની ખૂબ જ નજીક છે: પ્રેરણા પનવર

29 July, 2021 11:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સોની પર આવી રહેલા ‘કુછ રંગ પ્યાર કે ઐસૈ ભી : નયી કહાની’માં ઓરિજિનલ કાસ્ટને રાખવામાં આવી છે

પ્રેરણા પનવર

પ્રેરણા પનવરનું કહેવું છે કે એલેનાનું પાત્ર તેના દિલની ખૂબ જ નજીક છે. સોની પર આવી રહેલા ‘કુછ રંગ પ્યાર કે ઐસૈ ભી : નયી કહાની’માં ઓરિજિનલ કાસ્ટને રાખવામાં આવી છે. એમાં પ્રેરણા પનવર પણ મહત્ત્વનું પાત્ર ભજવી રહી છે. શોમાં નવો ટ્વિસ્ટ આવ્યો છે અને એનાથી સોનાક્ષી અને દેવની લાઇફમાં શું ઊથલપાથલ થાય એ જોવું રહ્યું.

જોકે એલેનાના પાત્ર વિશે પ્રેરણા પનવરનું કહેવું છે કે ‘એ જાણીને ખૂબ જ ખુશી થઈ કે મેકર્સ ‘કુછ રંગ પ્યાર કે ઐસૈ ભી’ની નવી સીઝન લઈને આવી રહ્યા છે અને ઓરિજિનલ કાસ્ટને રાખવામાં આવી છે.

આ સમાચાર મારા માટે સપનું પૂરું થવા સમાન છે. મારા માટે આ શોની ટીમ એક ફૅમિલી સમાન છે. ટૅલન્ટેડ વ્યક્તિ સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભુત રહ્યો હતો. આ શો મારી લાઇફનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહ્યો છે.

ઑન ઍન્ડ ઑફ સ્ક્રીન આ શોના સેટ પર હું ઘણું શીખી છું. એલેનાનું પાત્ર મારા દિલની ખૂબ જ નિકટ છે અને હું એની સાથે ઘણી રિલેટ થાઉં છું. હું રિયલ લાઇફમાં જેવી ફુલ-ઑફ-લાઇફ છું એવી જ તે ઑન સ્ક્રીન છે. આથી મને આ શો કરવાની ખૂબ જ મજા આવી હતી. નવા શોમાં હું મમ્મીનું પાત્ર ભજવી રહી છું અને મારા માટે આ એક લર્નિંગ એક્સ્પીરિયન્સ છે.’

entertainment news indian television television news tv show sony entertainment television