પૂજા બૅનરજીની ઈદની પાર્ટી આ વર્ષે હશે ‘કુમકુમ ભાગ્ય’ના સેટ પર

15 May, 2021 11:34 AM IST  |  Mumbai | Rashmin Shah

‘કુમકુમ ભાગ્ય’ની રિયાએ ૨૬મા દિવસે રોજા રાખવાનું બંધ કેમ કર્યું, ખબર છે?

પૂજા બૅનરજી

ઝીટીવીની સુપરહિટ સિરીઝ ‘કુમકુમ ભાગ્ય’ની રિયા રમઝાન દરમ્યાન દર વર્ષે પોતાના ફ્રેન્ડ્સ સાથે ઈદનું સેલિબ્રેશન કરતી હોય છે, પણ આ વર્ષે પેન્ડેમિક વચ્ચે એ શક્ય નહીં હોવાથી રિયા એટલે કે પૂજા બૅનરજીએ નક્કી કર્યું છે કે એ ઈદની પાર્ટી સેટ પર કરશે. પૂજા કહે છે, ‘ઈદ મારા માટે ખાસ છે. 
ફ્રેન્ડ્સ અને ફૅમિલી સાથે અમે ઈદનું સેલિબ્રેશન કર્યું હોય એવી અઢળક યાદો છે. જોકે અત્યારની સિચુએશનમાં હું કોઈ સેલિબ્રેશનના મૂડમાં નથી. 
ઈદના દિવસે મેં એટલી જ પ્રાર્થના કરી કે જલદીથી આ તકલીફમાંથી લોકો બહાર આવે.’
પૂજા બૅનરજીને ઇફ્તાર પાર્ટીના સેલિબ્રેશનમાં જવાનું પણ ખૂબ ગમે છે. પૂજા કહે છે, ‘આપણે ત્યાંની સૌથી મોટી બ્યુટી એ જ છે કે આપણે કોઈ પણ ધર્મના હોઈએ, પણ તહેવારમાં બધા સાથે મળતા રહીએ. 
પહેલાં તો હું રમઝાનમાં એક દિવસ ઉપવાસ કરતી પણ અત્યારે એ શક્ય નથી એટલે હું નથી કરતી. 
જોકે મારી મમ્મી અત્યારે ૨૬મો રોજો રાખે છે અને એ પછી બધાને ઇફ્તાર પાર્ટી આપે. આ વર્ષે પાર્ટી નથી થઈ, પણ એક દિવસનો રોજો તેણે રાખ્યો હતો.’

entertainment news television news indian television Rashmin Shah