1 કરોડ જીત્યા બાદ કેબીસીના કન્ટેસ્ટન્ટે કર્યો 'અંદરની વાત'નો ખુલાસો !

15 September, 2019 05:39 PM IST  |  મુંબઈ

1 કરોડ જીત્યા બાદ કેબીસીના કન્ટેસ્ટન્ટે કર્યો 'અંદરની વાત'નો ખુલાસો !

બિહારના સનોજ રાજ કૌન બનેગા કરોડપતિ સિઝન 11ન પહેલા કરોડપતિ બની ચૂક્યા છે. ખેડૂત પુત્ર સનોજ સીઝનના પહેલા એવા કન્ટેસ્ટન્ટ છે, જે 1 કરોડ રૂપિયાના સવાલનો સાચો જવાબ આપી ચૂક્યા છે. આ શોમાંથી પાછા ફર્યા બાદ સનોજ રાજે શો અંગે ઘણી વાત કરી, તેમણે પોતાની સફળતાની વાત પણ કરી. 1 કરોડ રૂપિયા જીત્યા બાદ સનોજે કહ્યું કે આ બધા જ પૈસા તેના પિતાના છે.

જો કે સનોજને શોની એક વાત નથી ગમી, અને તેમને તે વાત ખૂબ ખુંચી છે. સમાચાર એજન્સી IANS પ્રમાણે સનોજે કહ્યું કે શોમાં કન્ટેસ્ટન્ટના કપડા પર ધ્યાન નથી અપાતું. તેમણે કહ્યું કે આ વાત તેમને સૌથી વધુ ખરાબ લાગી. અમે 10 કન્ટેસ્ટન્ટ હતા, જેમને હોટેલમાં ઉતારો અપાયો હતો. અમે મિત્રો બની ગયા હતા, અને તે સમયે કપડાએ મને પરેશાન કર્યો.

એજન્સીના રિપોર્ટ પ્રમાણે સનોજનું કહેવું છે કે હું હંમેશા કપડામાં કમ્ફર્ટને મહત્વ આપુ છું, પરંતુ શો માટે તૈયાર થતા સમયે ફિટિંગ, કલર વગેરે ધ્યાન રાખવામાં આવે છે. તે દરમિયાન કપડાની પસંદગી પર ખૂબ ધ્યાન આપવામાં આવે છે, આ વાત મને ખૂંચી છે. તો સનોજે એ પણ કહ્યું કે તેણે શો માટે ક્યારેય અલગથી તૈયાર નથી કરી, કારણ કે તે સિવિલ સર્વિસિઝની તૈયારી કરી રહ્યા હતા, એટલે મને અલગથી તૈયારી કરવાની જરૂર નથી પડી.

આ પણ વાંચોઃ Bhumika Barot:મોડેલિંગ અને એક્ટિંગમાં સફળ થઈ છે અમદાવાદી યુવતી

પૈસા જીત્યા બાદ સનોજે કહ્યું,'આ પૈસા મારા પપ્પાના છે. અમારા પરિવારની હાલતને કારણે તેઓ બરાબર નહોતા ભણી શક્યા. ફરી આવી સ્થિતિ ન આવે એટલા માટે અમે ભણવા પર ધ્યાન આપ્યું.' 1 કરોડ રૂપિયા માટે સનોજને સવાલ પૂછાયો હતો કે ભારતના કયા મુખ્ય ન્યાયાધીશના પિતા ભારતના એક રાજ્યના મુખ્યપ્રધાન રહી ચૂક્યા હતા ? જેનો સાચો જવાબ હતો જસ્ટિસ રંજન ગોગોઈ. આ સવાલના જવાબ માટે સનોજે લાઈફ લાઈન વાપરી હતી.

kaun banega crorepati amitabh bachchan indian television