09 June, 2021 12:47 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કરણ કુન્દ્રા
કરણ કુન્દ્રાનું કહેવું છે કે લોકો ઘરમાં બેસીને એન્જૉય કરી શકે એ માટે ઍક્ટર્સે કોરોનામાં પણ શૂટિંગ કરવું જરૂરી છે. કોરોનાની બીજી વેવ બાદ થોડી છૂટછાટ આપવામાં આવતાં મોટા ભાગનું શૂટિંગ ફરી શરૂ થઈ રહ્યું છે. તે હાલમાં ‘યે રિશ્તા ક્યાં કહલાતા હૈ’નું શૂટિંગ કરી રહ્યો છે. આ વિશે વાત કરતાં કરણે કહ્યું હતું કે ‘અમે દરેક વ્યક્તિ ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કે ઘરમાં રહેતા લોકો આ પેન્ડેમિકમાં એન્ટરટેઇનમેન્ટ મેળવી શકે. ગુજરાતની બૉર્ડરની બહાર સિલવાસામાં હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. અમે બધા બાયો-બબલમાં રહીએ છીએ અને સરકાર દ્વારા આપવામાં આવેલા નિયમોને ફૉલો કરીએ છીએ. અહીં ઘણા લોકો નથી. મોબાઇલનાં નેટવર્ક પણ ઘણાં ઓછાં છે. ઘણી વાર એવું થાય છે કે અમે કોઈની સાથે પણ કૉન્ટૅક્ટ નથી કરી શકતા. અમારા પેરન્ટ્સ સાથે પણ નહીં.’