કોરોના થવા માટે પોતાને જવાબદાર ગણે છે હિના ખાન

14 May, 2021 12:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું સ્વસ્થ છું. મને લાગે છે કે હું જ્યારે શ્રીનગરથી પાછી ફરી રહી હતી ત્યારે મેં સાવધાનીનું ધ્યાન નહોતું રાખ્યું. હું માનસિક રીતે ઠીક નહોતી, એથી જ આ બધું થયું છે.

હિના ખાન

હિના ખાનનું કહેવું છે કે તેને કોરોના થયો તો એનાં માટે તે પોતે જવાબદાર છે. તે શ્રીનગરથી જ્યારે પાછી ફરી રહી હતી ત્યારે ચોક્કસ નિયમોનું પાલન ન કરતાં તે કોરોનાનો શિકાર બની હતી. જોકે તેનો કોરોનાનો રિપોર્ટ હવે નેગેટિવ આવ્યો છે. 
પોતાની ભૂલનો સ્વીકાર કરતાં હિનાએ કહ્યું હતું કે ‘હું સ્વસ્થ છું. મને લાગે છે કે હું જ્યારે શ્રીનગરથી પાછી ફરી રહી હતી ત્યારે મેં સાવધાનીનું ધ્યાન નહોતું રાખ્યું. હું માનસિક રીતે ઠીક નહોતી, એથી જ આ બધું થયું છે. જોકે ભગવાનનો આભાર માનું છું કે મારી ફૅમિલીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હું જાણું છું કે પાછી ફરતી વખતે મેં સાવધાની નહોતી રાખી. એને કારણે મને કોરોના થયો છે. જોકે હવે હું સ્વસ્થ છું અને મારો રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો છે. હું ઠીક છું. મને હજી પણ ખાંસી અને છાતીમાં ભારણ જેવું લાગી રહ્યું છે. હું રિકવરી તરફ આગળ વધી રહી છું. જોકે થોડો સમય તો લાગશે.’

entertainment news television news indian television hina khan