‘સંજીવની’ બનશે ‘કાવેરી’

17 June, 2021 11:43 AM IST  |  Mumbai | Nirali Dave

ગુરદીપ કોહલી સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’માં કાવેરીના પાત્રમાં જોવા મળશે

ગુરદીપ કોહલી

‘સંજીવની’, ‘કસમ સે’ અને ‘કહને કો હમસફર હૈ’ સહિતની સિરિયલો કરી ચૂકેલી જાણીતી ઍક્ટ્રેસ ગુરદીપ કોહલી સબ ટીવીના શો ‘તેરા યાર હૂં મૈં’માં કાવેરીના પાત્રમાં જોવા મળશે. સબ ટીવીનો શો ‘તેરા યાર હૂં મૈં’ પણ  ચૅનલના ‘વાગલે કી દુનિયા’ જેવા અન્ય શોની સાથે સારું પ્રદર્શન કરી રહ્યો છે. દર્શકોને એમાં આવતા વળાંક પસંદ આવી રહ્યા છે. આ ઉપરાંત શોમાં સમયાંતરે થતી નવા પાત્રની એન્ટ્રીને પણ દર્શકો તરફથી પૉઝિટિવ આવકાર મળી રહ્યો છે. આવા જ એક વધુ નવા પાત્રની એન્ટ્રી ટૂંક સમયમાં શોમાં થવા જઈ રહી છે. શો સાથે જોડાયેલાં સૂત્રોએ જણાવ્યા મુજબ, શોમાં ટીવીની જાણીતી ઍક્ટ્રેસ ગુરદીપ કોહલી પુંજ એક નવા પાત્રમાં આવી રહી છે. ‘તેરા યાર હૂં મૈં’માં તે કાવેરીની ભૂમિકામાં જોવા મળશે. મેકર્સ શોમાં વધુ ડ્રામા અને મનોરંજન લાવવા દલજિત અને રાજીવના જીવનમાં આ નવા કૅરૅક્ટરની એન્ટ્રી કરાવી રહ્યા છે. ‘બેસ્ટ ઑફ લક નિકી’, ‘સંજીવની’, ‘કસમ સે’, ‘કહને કો હમસફર હૈ’ જેવી અઢળક ટીવી-સિરિયલોમાં ચમકી ચૂકેલી ગુરદીપ કોહલીએ ટીવી-સિરિયલો ઉપરાંત ‘રાઉડી રાઠોડ’ અને ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’માં પણ કામ કર્યું છે.

entertainment news indian television television news tv show sab tv gurdeep kohli nirali dave