તારક મહેતાના દયાભાભીએ ખરીદી 'ચાર-ચાર બંગડી વાળી' ગાડી!

30 May, 2019 12:24 PM IST  |  મુંબઈ

તારક મહેતાના દયાભાભીએ ખરીદી 'ચાર-ચાર બંગડી વાળી' ગાડી!

દિશા વાકાણીએ ખરીદી નવી કાર(તસવીર સૌજન્યઃ દિશા વાકાણી ઈન્સ્ટાગ્રામ)

છેલ્લા કેટલાક સમયથી દિશા વાકાણી(disha vakani)ને લઈને જાત જાતના સમાચારો આવી રહ્યા છે. દિશા વાકાણી તારક મહેતા( tarak mehta ka ooltah chashmah)માં દયાભાભીનું પાત્ર ભજવીને જાણીતા થયા હતા. 2017માં શો છોડી ચુકેલા દિશા લાગે છે કે તેમની પર્સનલ લાઈફને એન્જોય કરી રહ્યા છે.

દિશાએ હાલમાં જ એક બ્રાન્ડ ન્યૂ ચમચમાતી કાર ખરીદી છે. દિશાએ પોતાની નવી કારની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. તમે પણ જુઓઃ


દિશા વાકાણી ઘર ઘરમાં દયાભાભીના પાત્રથી જાણીતા બન્યા હતા. પોતાના અભિનયથી દિશાએ લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે અને તેનો ચાહકવર્ગ ખુબ જ મોટો છે. જો કે તેણે સપ્ટેમ્બર 2017માં મેટરનિટી લીવ લીધી હતી અને તે બાદ દિશા શો માં પાછા નથી ફર્યા.

દિશાની રજા પુરી થઈ ત્યારથી જ પ્રોડક્શન હાઉસ, નીલા ટેલિફિલ્મ્સ તેમને પાછા ફરવાની રાહ જોઈ રહ્યું છે. તેમને શોમાં પાછા લાવવાના અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આ મામલે આસિત કુમાર મોદીએ કહ્યું તે, "દિશા વાકાણી દોઢ વર્ષ કરતા વધુ સમયથી રજા પર છે. અમે તેની વધુ રાહ જોઈ શકીએ તેમ નથી. જો તેમને પાછા આવવા હોય તો તેમનું સ્વાગત છે પરંતુ હવે અમારે નિર્ણય લેવાનો છે."

તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યૂ તેમણે કહ્યું હતું કે, "પાત્રોને રીપ્લેસ કરવા અને શોમાં લીપ લેવો ટીવી ઈન્ડસ્ટ્રીમાં સામાન્ય છે. આવું તો થતું જ રહે છે. તેમાં કાંઈ નવું નથી. જો દિશાને પાછું ન આવવું હોય તો અમે તેના બદલે ઓપ્શન વિચારવાની શરૂઆત કરી દીધી છે. તારક મહેતા એક પોઝિટિવ શો છે અને અમે પોઝિટિવ પરિણામોની આશા રાખી રહ્યા છે."

આ પણ વાંચોઃ આખરે 'તારક મહેતા...'માં પાછા ફરશે દિશા વાકાણી !

દિશા વાકાણીએ ગુજરાતી નાટકોથી પોતાની કારકીર્દિની શરૂઆત કરી હતી. પરંતુ ખરી ઓળખ તેમને દયાના પાત્રથી જ મળી. તેણે 2016માં મયુર પડિયા સાથે લગ્ન કર્યા અને ગયા વર્ષે તેમના ઘરે બાળકીનો જન્મ થયો હતો.2008માં તારક મહેતા શરૂ થયો ત્યારથી જ દિશા તેની સાથે જોડાયેલા હતા. હાલ તારક મહેતા દેશના સૌથી લાંબા ચાલેલા શોમાંથી એક છે.

taarak mehta ka ooltah chashmah