આખરે 'તારક મહેતા...'માં પાછા ફરશે દિશા વાકાણી !
આખરે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ફૅન્સ માટે સારા સમાચાર આવ્યા છે. ફાઈનલી દયાભાભીનું પાત્ર શૉમાં ઝડપથી પાછું ફરી શકે છે. અને સારા સમાચાર એ પણ છે કે દિશા વાકાણી જ દયાબેનના રોલમાં પાછા ફરશે. સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે દિશા વાકાણી 18 મેથી તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સેટ પર દેખાઈ શકે છે. જો કે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત નથી થઈ.
સૂત્રો દ્વાર મળતી માહિતી મુજબ દિશા વાકાણી તારક મહેતામાં પાછા ફરવા માટે તૈયારી કરી ચૂક્યા છે. પરંતુ હાલ તે પ્રોડ્યુસર આસિત મોદીના વેકેશન પરથી પાછા ફરવાની રાહ જોઈ રહ્યા છે. હાલ પ્રોડ્યુસર આસિત મોદી પરિવાર સાથે ઈટાલીમાં વેકેશન માણી રહ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દિલીપ જોશીઃજેઠાલાલ સુધી સફળતાની આવી રહી છે સફર, આ છે અજાણી વાતો
ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી લાંબા સમયથી મેટરનિટી લીવ પર છે. તે પોતાનો સમય પોતાના બાળકને આપવા માગતા હતા. પરિણામે તેઓ રજા પર હતા. જો કે આ દરમિયાન તેમના ફેન્સ સોશિયલ મીડિયા દ્વારા વારંવાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા ફરવાની વિનંતી કરી રહ્યા હતા. જો કે હજી સુધી પ્રોડ્યુસર કે પછી દિશા વાકાણીએ સત્તાવાર રીતે આ મામલે કોઈ જ જાહેરાત થી કરી. ઉલ્લેખનીય છે કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી ઈતિહાસમાં સૌથી લાંબા ચાલનાર શોમાં સામેલ છે.