06 April, 2021 03:05 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બાલવીર
સોની સબ ટીવી પર ટીનેજર્સને જલસો કરાવી દેનારા શો ‘બાલવીર રિટર્ન્સ’માં બાલવીરનું મૃત્યુ થયું છે, પણ એમ છતાં બાલવીર એટલે કે ઍક્ટર દેવ જોષી શો સાથે જોડાયેલો રહેશે અને ‘બાલવીર રિટર્ન્સ’માં જોવા મળશે. અલબત્ત આ વખતે દેવ બાલવીર તરીકે નહીં, પણ નવા કૅરૅક્ટરમાં જોવા મળશે. મજાની વાત એ છે કે દેવ શોમાં રીએન્ટર થઈને એક નહીં, ૭-૭ કૅરૅક્ટર કરશે અને એ સાતેસાત કૅરૅક્ટર મહત્ત્વનાં છે.
કોઈ એક ઍક્ટરે ટીવીમાં બે કૅરૅક્ટર કર્યાં હોય એવું તો અનેક વખત બન્યું હશે, પણ ૭ કૅરેક્ટર, ના, ક્યારેય નહીં અને એ દૃષ્ટિએ જોઈએ તો આ રેકૉર્ડ હવે દેવ જોષી કરવાનો છે. પૃથ્વીને બચાવવા માટે ચાવી શોધવા નીકળેલા બાલવીરને છેલ્લી ચાવી મળે એ પહેલાં જ તેનું મોત થાય છે. હવે આ છેલ્લી ચાવી રાક્ષસ-રાણીના હાથમાં છે, જેની પાસેથી એ પાછી લાવવાનું કામ દેવ જોષીના આ નવાં કૅરૅક્ટર કરશે.