'તારક મહેતા...'માં પાછા આવશે દયાબેન, જેઠાલાલે કર્યો ઈશારો

21 September, 2019 06:03 PM IST  |  મુંબઈ

'તારક મહેતા...'માં પાછા આવશે દયાબેન, જેઠાલાલે કર્યો ઈશારો

'તારક મહેતા...'માં પાછા આવશે દયાબેન, જેઠાલાલે કર્યો ઈશારો

લાખો કરોડો દર્શકોની ફેવરિટ સીરિયલ રહેલી તારક મહેલા કા ઉલ્ટા ચશ્માની ફેવરિટ કિરદાર દયાબેન એટલે કે દિશા વાકાણીની બે વર્ષ પછી વાપસી થઈ શકે છે. શોમાં દયાબેનના પતિનો કિરદાર નિભાવનાર જેઠાલાલે ઈશારો કર્યો છે કે દયા પાછી આવી શકે છે. ત્યાં જ દિશા વાકાણીએ પણ બે દિવસ પહેલા પોતાના ઈન્સ્ટા અકાઉન્ટ પરથી શોની જૂની તસવીર પોસ્ટ કરી હતી. જેનાથી સંકેટ મળે છે કે દિશા વાકાણી તારક મહેતામાં પાછા આવી શકે છે.


બે વર્ષ પહેલા છોડ્યો હતો શો
બે વર્ષ પહેલા 2017માં મેકર્સ સાથે વિવાદ થતા દિશા વાકાણીએ શો છોડી દીધો હતો. જે બાદ તેમણે લગ્ન કરી લીધા હતા. ત્યારથી અનેક વાર દિશા કે કોઈ અન્ય એક્ટ્રેસની દયાબેનના રૂપમાં વાપસીની ચર્ચા થઈ રહી છે. પરંતુ અત્યાર સુધી શોમાં દયાની વાપસી નથી થઈ.

આ પણ જુઓઃ સાડીઓ છે સ્મૃતિ ઈરાનીનો પહેલો પ્રેમ...આ તસવીરો છે પુરાવો

જેઠાલાલને આવી રહી છે દયાની યાદ
લેટેસ્ટ એપિસોડમાં જેઠાલાલ ગણેશોત્સવના રંગારંગ કાર્યક્રમમાં દયાને મિસ કરે છે. તે દર્શકોને હિંટ આપે છે કે જલ્દી જ શોમાં દયાબેન પાછા ફરી શકે છે. શોમાં જેઠાલાલે એક કાર્યક્રમમાં યાદ આ રહી હૈ ગીત પર પરફોર્મ કરવાનું હોય છે. એટલે તેઓ દયાને મિસ કરે છે. શોમાં આ પહેલા પણ આવો જ માહોલ બન્યો હતો જ્યારે સોનૂની એન્ટ્રી થઈ હતી.

taarak mehta ka ooltah chashmah dilip joshi