મીડિયાને માત્ર અડધી વાતની જ ખબર છે : ચાહત ખન્ના

19 September, 2022 03:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સુકેશ સાથેના કેસને લઈને તેણે આવું કહ્યું

ચાહત ખન્ના

સુકેશ ચન્દ્રશેખર સાથેના કેસને લઈને ચાહત ખન્નાએ જણાવ્યું છે કે મીડિયાને માત્ર અડધી વાતની જ ખબર છે. ઍક્ટ્રેસ નિક્કી તંબોલીને પણ સુકેશે કીમતી ગિફ્ટ આપી હતી.  જૅકલિન ફર્નાન્ડિસ અને નોરા ફતેહીની સુકેશના કેસમાં પૂછપરછ ચાલી રહી છે. એવું જાણવા મળ્યું છે કે ચાહતને બે લાખ રૂપિયા અને વર્સાચીની વૉચ સુકેશે આપી હતી. ચાહત ખન્ના, સોફિયા સિંહ અને અરુષા પાટીલ જેલમાં બંધ સુકેશને મળવા ગઈ હતી. પોતાની વાત માંડતાં ચાહતે કહ્યું કે ‘કેસમાં મારી સંડોવણી હોવાના તમામ સમાચાર મેં જોયા છે. હું અનેક બાબતે વાત કરવા માગું છું. જોકે મને લાગ્યું કે મારે સ્પષ્ટતા કરવાની કોઈ જરૂર નથી. મને નથી લાગતું કે મારે સ્પ​ષ્ટીકરણની જરૂર છે. હું ચોક્કસ આ વિષય પર વાત કરીશ. મારો પોતાનો બચાવ કરવા માટે નહીં, પરંતુ એ જણાવવા માટે કે વાસ્તવમાં શું બન્યું હતું. મીડિયાને જે જાણકારી મળી છે એ માત્ર અડધી જ છે.’

entertainment news television news indian television