તારક મહેતામાં દયાબેનની વાપસી અંગે મોટો ખુલાસો, જાણો ક્યારે પાછા આવશે દિશા વાકાણી

25 January, 2022 05:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દિશા વાકાણીએ વર્ષ 2017માં આ શોને અલવિદા કહ્યું હતું

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાબેન

આજે પણ શોના ચાહકો ટેલિવિઝન કોમેડી શો `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા`માં દયાબેનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દરેક વ્યક્તિ માત્ર અભિનેત્રી દિશા વાકાણીની વાપસીના સારા સમાચારની રાહ જોઈ રહી છે. 2008થી પ્રસારિત થઈ રહેલા આ શોમાં દયાબેન મુખ્ય પાત્રોમાં સામેલ છે. દિશાના શો છોડવાના સમાચારે ચાહકોને ખૂબ જ નિરાશ કરી દીધા હતા, ત્યારથી દિશાના વાપસીના સમાચારને લઈને તમામ અટકળો ચાલી રહી છે.

વાસ્તવમાં, દિશા વાકાણીએ વર્ષ 2017માં આ શોને અલવિદા કહ્યું હતું. તે પછી તે આ શોમાં જોવા મળી નથી. તે સમયે દિશા પ્રેગ્નન્ટ હતી અને તેણે પોતાની દીકરી માટે મેટરનિટી બ્રેક લીધો હતો, પરંતુ ચાહકો રાહ જોઈ રહ્યા હતા કે તેના મેટરનિટી બ્રેક બાદ તે આ શોમાં જોરદાર કમબેક કરશે, પરંતુ ચાહકોની આ રાહ વર્ષો પછી પણ પુરી થઈ નથી.

દિશા વાકાણીનું પાત્ર ‘દયાબેન’ ભારતના દરેક ઘરમાં ફેમસ છે. ફેન્સ દિશાને તેના અસલી નામને બદલે દયાબેન નામથી ઓળખે છે. એવું કહેવાય છે કે શોના નિર્માતાઓએ દિશાની વાપસી માટે ઘણી કોશિશ કરી હતી, પરંતુ કોન્ટ્રાક્ટ પર વાતચીત થઈ નથી. દિશા વાકાણીના કારણે શોની ટીઆરપી પર ઘણી અસર જોવા મળી છે.

મીડિયા અહેવાલો મુજબ દિશાના પતિના કારણે તે શોમાં કમબેક કરી શકી નથી. શોમાં પાછા ફરવા માટે તેણે મેકર્સ સામે લાંબી ડિમાન્ડ લિસ્ટ મૂકી છે. આમાં પહેલી માગ એ છે કે દિશાને પ્રતિ એપિસોડ 1.5 લાખ રૂપિયા ફી આપવામાં આવે. બીજી માગ એ છે કે અભિનેત્રી દિવસમાં માત્ર 3 કલાક જ કામ કરશે.

ત્રીજી માગ એ છે કે સેટ પર દિશાના બાળક માટે નર્સરી હોવી જોઈએ જ્યાં બાળક અને આયા રહેશે. ત્રણ માગણીઓને કારણે દિશા હાલમાં શોમાં પરત ફરી શકતી નથી.

કહેવાય છે કે દિશાની લોકપ્રિયતા અને પછી આ રોલ માટે અન્ય કોઈ અભિનેતા ન મળવો એ નિર્માતાઓ માટે મોટો માથાનો દુખાવો બની ગયો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દિશા વાકાણીના પતિ હજુ પણ સિરિયલના મેકર્સ સાથે સંપર્કમાં છે.

entertainment news television news taarak mehta ka ooltah chashmah disha vakani