03 April, 2019 09:47 AM IST | | સોનિલ દેઢિયા
મૌની રૉય
મૌની રૉયનું કહેવું છે કે તે ટીવીને કારણે ફિલ્મો સાથે કોઈ પણ પ્રકારનું કૉમ્પ્રોમાઇઝ કરવા નથી માગતી. મૌનીએ ટીવીમાં કામ કર્યા બાદ બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. એકતા કપૂરની ‘નાગિન’ માટે તે ખૂબ જ જાણીતી છે. આ સિરિયલની ત્રીજી સીઝનમાં તેણે કામ નહોતું કર્યું. આ વિશે પૂછતાં મૌનીએ કહ્યું હતું કે ‘એકતા કપૂરની ‘નાગિન’ એક બ્રૅન્ડ બની ગઈ છે. અમારો નાગમણિ એકતા કપૂર છે. એકતા કપૂર જ્યાં સુધી છે ત્યાં સુધી શો ચાલતો જ રહેશે. હું આ શોનો પાર્ટ નહીં હોવાનું મિસ કરી રહી છું. એકતા કપૂર માટે આ શો જેટલો મહત્વનો છે એટલો જ મહત્વનો મારા માટે પણ છે. આ માટે મેં ખૂબ જ મહેનત કરી હતી. આ શોની પહેલી સીઝનમાં અમને પગમાં શૂઝ કે ચંપણ પણ નહોતાં પહેરવા દેવામાં આવતાં.
આ પણ વાંચો : વેબ-સિરીઝ કાફિરની તૈયારી કરતી દિયા મિર્ઝા
ફિલ્મસિટીમાં કાળઝાળ ગરમીમાં અમને ઝાડ પર ચડાવવાની સાથે પથ્થર પર ચલાવવામાં આવતાં. મારી લાઇફના આ સ્ટેજ પર સિરિયલ માટે આઠથી નવ મહિના કાઢવા મુશ્કેલ છે. જો હું એ શો કરું તો મારે ફિલ્મોને બાય-બાય કહેવું પડે અને હું એની સાથે કૉમ્પ્રોમાઇઝ કરવા નથી માગતી.’