ભૈમરે બાલવીર રિટર્ન્સના સેટ પર તિમ્નાશાનું કર્યું સ્વાગત

12 November, 2019 01:21 PM IST  |  Ahmedabad

ભૈમરે બાલવીર રિટર્ન્સના સેટ પર તિમ્નાશાનું કર્યું સ્વાગત

બાલવીર રિટર્ન્સ

સબ ટીવી પર આવતા બાળકોના ચિલ્ડ્રન-ફૅન્ટસી શો ‘બાલવીર રિટર્ન્સ’ની ખૂનખાર વિલન તિમ્નાશા બીમાર પડી ગઈ હતી. એટલે કે તિમ્નાશાનું પાત્ર ભજવતી અભિનેત્રી પવિત્રા પુનિયાને ડેન્ગી થઈ ગયો હતો અને તે હૉસ્પિટલમાં સારવાર લેતી હતી. હવે તે એકદમ બરાબર થઈ ગઈ છે અને ફરી પાછી ‘બાલવીર રિટર્ન્સ’ના સેટ પર પહોંચી ગઈ છે.

બાલવીર રિટર્ન્સમાં તિમ્નાશાની સાથે મળીને બાળકોને ડરાવનાર ભૈમર એટલે કે અભિનેતા આદિત્ય રણવિજયે પવિત્રા પુનિયાનું સ્વાગત કર્યું છે. આદિત્યે પોતાના સોશ્યલ મીડિયા પર પવિત્રા પુનિયા સાથે ફોટો મૂકીને કહ્યું, ‘વેલકમ બૅક શેર!’

આ પણ વાંચો : Urvashi Rautela: બૉલીવુડની આ એક્ટ્રેસની સુંદર તસવીરો ફૅન્સને બનાવે છે ક્રેઝી

બાલવીર રિટર્ન્સમાં બાલવીર અને નવા બાલવીર-વિવાનની આજુબાજુ રસપ્રદ વળાંક સાથેની વાર્તા ચાલી રહી છે, એમાં છેલ્લાં બે અઠવાડિયાં પવિત્રા પુનિયા નહોતી દેખાઈ, પણ હવે તે લડવા માટે પાછી આવી ગઈ છે.

television news sab tv