નવરાત્રી પર ખાસ ગીત 'ક્યારે રમે રાધા...' રીલિઝ

28 September, 2019 12:11 PM IST  |  મુંબઈ

નવરાત્રી પર ખાસ ગીત 'ક્યારે રમે રાધા...' રીલિઝ

ક્યારે રમે રાધા ગીત રિલીઝ

આવી ગયો છે ગુજરાતીઓનો માનીતો તહેવાર અને નવરાત્રી.. અને તેને ખાસ રીતે મનાવવા માટે નવું ગીત ક્યારે રમે રાધા પણ રીલિઝ કરવામાં આવ્યું છે. શ્રેય ફિલ્મ્સના આ ગીતમાં ભાવિક ભોજક, તૃપ્તિ શર્મા, કેશરાજ, નિશા રાઘવાણી, નેહા પંચાલ સહિતના કલાકારો છે. રોમેન્ટિક એવું આ ગીત યુવાનોને ખાસ પસંદ આવશે. તમે પણ સાંભળો આ ગીત અહીં.

ક્યારે રમે રાધા ગીત કેશરાજ અને ઉર્વી પટેલે ગાયું છે. ગીતના બોલ પ્રદીપ પ્રજાપતિએ લખ્યા છે. જ્યારે તેના મ્યુઝિક ડિરેક્ટર કેશરાજ છે. ગીતમાં વાંસળી જીનેશ મિસ્ત્રીએ વગાડી છે. તો ડીઓપી આદર્શ પટેલ, વિશાલ પટેલ અને તેની ટીમ છે. ગીતનું ડાયરેક્શન રાહુલ રાઠોર અને સંદીપ જંસારીએ કર્યું છે. તો પ્રોડ્યુસર શ્રેય ફિલ્મના  શ્રેયસ પ્રજાપતિ છે.

આ પણ જુઓઃ Happy Birthday Lataji: યાદ કરીએ લતાજીના કંઠે ગવાયેલા ગુજરાતી ગીતોને...

ગીત યુવાનોની આસપાસ ફિલ્માવવામાં આવ્યું છે. નવરાત્રી અને ગરબા કેવી રીતે બે દિલને મળાવી શકે તે આ ગીતમાં સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. તો નવરાત્રી પર આ ગીત ચોક્કસથી લોકોને પસંદ આવશે.

gujarat navratri dhollywood news