47 ધનસુખ ભવનઃ એક રાતની શું છે કહાની ? જુઓ બીજો ડાઈલોગ પ્રોમો

03 July, 2019 03:53 PM IST  |  અમદાવાદ

47 ધનસુખ ભવનઃ એક રાતની શું છે કહાની ? જુઓ બીજો ડાઈલોગ પ્રોમો

47 ધનસુખ ભવન આ ગુજરાતી ફિલ્મનો બીજો ડાઈલોગ પ્રોમો બુધવારે રિલીઝ થયો છે. આ ડાઈલોગ પ્રોમો સાથે ફરી એકવાર ફિલ્મ અંગેનું રહસ્ય ઘેરાઈ રહ્યું છે. આ વખતે પણ ડાઈલોગ પ્રોમોમાં ગૌરવ પાસવાલા દેખાઈ રહ્યા છે. આ બીજા ડાઈલોગ પ્રોમો પરથી લાગી રહ્યું છે કે ફિલ્મમાં એક રાતની કોઈ ઘટનાની વાત છે. જો કે રસપ્રદ વાત છે કે ટીઝરથી ટ્રેલર અને ડાઈલોગ પ્રોમો બધું જ જોયા પછી ફિલ્મમાં શું હશે તેની ઉત્સુક્તા વધી રહી છે.

હજી સુધી એક પણ પ્રોમોથી ફિલ્મની વાર્તા નથી સમજાઈ રહી. પરિણામે દર્શકોની ઈંતેજારી પણ વધી રહી છે. પહેલા ડાઈલોગ પ્રોમોમાં એક કૂતરા અંગેનો સવાલ હતો, હવે બીજા ડાઈલોગ પ્રોમોમાં એક રાતની વાત છે. જો કે દર્શકોને એ સવાલ થઈ રહ્યો છે. ફિલ્મમાં એવું શું રહસ્ય છે, જેના અંગે બધા જ પાત્ર વાત કરી રહ્યા છે. અત્યાર સુધી ફિલ્મના ટીઝર, ટ્રેલર અને બે ડાઈલોગ પ્રોમો રિલીઝ થઈ ચૂક્યા છે. પરંતુ હજી સુધી અંદાજ નથી આવી રહ્યો કે આખરે ફિલ્મમાં શું બની રહ્યું છે. આ જ વાત ફિલ્મ પ્રત્યે દર્શકોની ઉસ્તુક્તા વધારી રહી છે.

અહીં જુઓ ડાઈલોગ પ્રોમો


ઉલ્લેખનીય છે કે ફિલ્મ 47 ધનસુખ ભવન 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ટ્રેલર જોઈને તમને પણ અમારી જેમ સંખ્યાબંધ સવાલો થતા હશે. જો કે આ તમામ સવાલોના જવાબ 27 જુલાઈએ તમને નજીકના થિયેટર્સમાં મળી જશે.

આ પણ વાંચોઃ ગૌરવ પાસવાલાઃ આ ગુજરાતી છોરો ચમકી રહ્યો છે હોલીવુડમાં પણ 

47 ધનસુખ ભવન ફિલ્મ જુદી જુદી રીતે ખાસ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે ફિલ્મ એક જ કેમેરાથી સળંગ શૂટ કરવામાં આવી છે. એટલે કે ફિલ્મમાં એક પણ કટ નથી. ફિલ્મને નૈતિક રાવલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, શ્યામ નાયર અને રિશી વ્યાસ છે. ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

gujarati film entertaintment