47 ધનસુખ ભવનઃ ફિલ્મના ડાઈલોગ પ્રોમોએ ક્રિએટ કર્યું છે સસ્પેન્સ

01 July, 2019 03:07 PM IST  |  મુંબઈ

47 ધનસુખ ભવનઃ ફિલ્મના ડાઈલોગ પ્રોમોએ ક્રિએટ કર્યું છે સસ્પેન્સ

ફિલ્મ 47 ધનસુખ ભવનનું ટીઝર રિલીઝ થયું ત્યારથી સતત આ ફિલ્મ ચર્ચામાં રહી છે. ફિલ્મના ટીઝરે લોકોમાં એટલી ઉત્સુક્તુ ઉભી કરી રહી કે મેકર્સે ફિલ્મનું ટ્રેલર એક દિવસ વહેલું રિલીઝ કર્યું. ત્યારે હવે ફિલ્મનો પહેલો ડાઈલોગ પ્રોમો પણ રિલીઝ થયો છે. ફિલ્મના ટીઝર અને ટ્રેલર બાદ ઉભુ થયેલું સસ્પેન્સ આ ડાઈલોગ પ્રોમોથી વધુ ઘેરું થઈ રહ્યું છે. ત્યારે ડાઈલોગ પ્રોમો રિલીઝ થયા બાદ દર્શકો હવે આ સસ્પેન્સ જાણવા માટે ઉત્સુક છે.

અપકમિંગ થ્રિલર ફિલ્મ '47 ધનસુખ ભવન'નો પહેલો ડાઈલોગ પ્રોમો યુટ્યુબ પર રિલીઝ કરાયો છે. ફિલ્મના પહેલા ડાઈલોગ પ્રોમોને લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ડાઈલોગ પ્રોમોમાં બંને એક્ટર્સ એકબીજા સાથે વાતો કરી રહ્યા છે. ડાઈલોગ પ્રોમો પરથી લાગી રહ્યું છે કે બંને એક્ટર્સ ભૂતકાળની કોઈ યાદોને વાગોળી રહ્યા છે, પોતાના બાળપણને યાદ કરીને એન્જોય કરી રહ્યા છે. પરંતુ ડાઈલોગ પ્રોમો પૂરો થાય એ પહેલા જ એક એવો સવાલ આવે છે, જે ફિલ્મનું સસ્પેન્સ વધારી દે છે.

અહીં જુઓ ફિલ્મનો ડાઈલોગ પ્રોમો

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 47 ધનસુખ ભવન 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે. આ ટ્રેલર જોઈને તમને પણ અમારી જેમ સંખ્યાબંધ સવાલો થતા હશે. જો કે આ તમામ સવાલોના જવાબ 27 જુલાઈએ તમને નજીકના થિયેટર્સમાં મળી જશે.

આ પણ વાંચોઃ મેહુલ સોલંકીઃ વાંચો 'પ્રેમજી' વિશેની અજાણી વાતો, જુઓ ફોટોઝ

47 ધનસુખ ભવન ફિલ્મ જુદી જુદી રીતે ખાસ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે આ પહેલી ગુજરાતી વન શોટ ફિલ્મ છે. એટલે કે ફિલ્મ એક જ કેમેરાથી સળંગ શૂટ કરવામાં આવી છે. એટલે કે ફિલ્મમાં એક પણ કટ નથી. ફિલ્મને નૈતિક રાવલે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં લીડ રોલમાં ગૌરવ પાસવાલા, શ્યામ નાયર અને રિશી વ્યાસ છે. ફિલ્મ 26 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

gujarati film entertaintment