25 April, 2024 06:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
યશ
સાઉથના યશનું કહેવું છે કે ‘રામાયણ’ તેના દિલની નજીક હોવાથી તેણે ફિલ્મને પ્રોડ્યુસ કરવાનો ફેંસલો લીધો છે. અગાઉ એવી ચર્ચા હતી કે યશ આ ફિલ્મમાં રાવણના રોલમાં જોવા મળવાનો હતો. રણબીર કપૂર અને સાઈ પલ્લવી લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મને પ્રોડ્યુસ કરવાના નિર્ણય વિશે યશ કહે છે, ‘મારી પહેલેથી ઇચ્છા હતી કે ભારતીય સિનેમાને વિશ્વ સ્તરે પહોંચાડી શકું એવી ફિલ્મ બનાવું. એથી હું લૉસ ઍન્જલસમાં જ્યારે બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ્સ સ્ટુડિયોઝની શોધમાં હતો એ વખતે મારી મુલાકાત ભારતીય નમિત મલ્હોત્રા સાથે થઈ જે આ સ્ટુડિયોઝ ચલાવે છે. એ દરમ્યાન અમે ઘણી ચર્ચાઓ કરી હતી. સાથે જ ‘રામાયણ’ને લઈને પણ ચર્ચા કરી હતી. ‘રામાયણ’ મારા દિલની નજીક છે. ‘રામાયણ’ને કો-પ્રોડ્યુસ કરીને અમારા વિઝનને રજૂ કરવા અને વિશ્વભરના દર્શકોને એક અનોખો અનુભવ મળે એવા ઉદ્દેશ સાથે આ ફિલ્મ બનાવવા માટે ઉત્સુક છીએ.’