મુંબઈ અને લદાખ વચ્ચે કેમ અપ-ડાઉન કરે છે પંકજ ત્રિપાઠી?

25 September, 2021 01:55 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

એક છે રાજ અને ડી.કે.ની અનટાઇટલ્ડ સિરીઝ અને બીજી છે ‘ઓહ માય ગૉડ’ની સીક્વલ

પંકજ ત્રિપાઠી

પંકજ ત્રિપાઠી હાલમાં તેના બે પ્રોજેક્ટ્સ માટે મુંબઈ અને લદાખ વચ્ચે સતત ટ્રાવેલિંગ કરે છે. એક છે રાજ અને ડી.કે.ની અનટાઇટલ્ડ સિરીઝ અને બીજી છે ‘ઓહ માય ગૉડ’ની સીક્વલ. તે પોતાના પ્રોજેક્ટ્સને સમયસર પૂરા કરવા માગે છે. પોતાનાં હેક્ટિક શેડ્યુલ્સને લઈને પંકજે કહ્યું હતું કે ‘મને ઍક્ટિંગ અને વિવિધતાથી ભરેલા પ્રોજેક્ટ્સ કરવા પસંદ છે. મારી પાસે આવતી સ્ક્રિપ્ટ્સ માટે હું આભારી છું. દર્શકો પણ મારા કામને એન્જૉય કરે છે. છેલ્લા થોડા મહિનાઓ ખૂબ વ્યસ્ત રહ્યા હતા, કેમ કે મારી પાસે અનેક પ્રોજેક્ટ્સ હતા અને શેડ્યુલ્સ પણ પૅક હતાં. આ વર્ષના તમામ પ્રોજેક્ટ્સ જ્યારે પૂરા થઈ જશે ત્યારે હું થોડો આરામ કરીશ. ફિઝિકલ અને મેન્ટલ હેલ્થ પણ અગત્યની છે. મને એવું પણ લાગે છે કે કામમાંથી થોડી નિરાંત લેવી પણ જરૂરી છે.’

pankaj tripathi bollywood news