11 April, 2023 03:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફોન તોડવાની ધમકી કેમ આપી નયનતારાએ?
નયનતારા અને તેનો હસબન્ડ વિજ્ઞેશ શિવન કુંભકોણમ મંદિરે દર્શન કરવા ગયાં હતાં અને ત્યાં તેમણે પૂજા પણ કરી હતી. એ દરમ્યાન લોકો તેના ફોટો ક્લિક કરવા માટે પડાપડી કરવા માંડ્યા હતા. સાથે જ કેટલાક ફૅન્સ તેમનો વિડિયો શૂટ કરવા લાગ્યા હતા. એ વિડિયો-ક્લિપ સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ છે. એમાં નયનતારા ફોન તોડવાની ધમકી આપે છે. તે કહી રહી છે કે જો ફરી પાછું તમે શૂટ કર્યું તો તમારો ફોન તોડી નાખીશ. સાથે જ નયનતારાના સ્ટાફ મેમ્બર પણ તેમને વિનંતી કરે છે કે શૂટ ન કરવામાં આવે. તેઓ જ્યારે પૂજા કરી રહ્યાં હતાં ત્યારે લોકો ત્યાં વિડિયો લેવા માટે ધક્કામુક્કી કરી રહ્યા હતા અને એથી જ પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે નયનતારાએ આવી ધમકી આપવી પડી હતી.