નસીરુદ્દીન શાહને કઈ સલાહ આપે છે રત્ના પાઠક શાહ?

05 January, 2023 05:19 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નસીરુદ્દીન શાહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ વિશે જાહેરમાં પોતાના વિચાર માંડે છે.

રત્ના પાઠક શાહ અને નસીરુદ્દીન શાહ

નસીરુદ્દીન શાહને તેમની વાઇફ રત્ના પાઠક શાહ કઈ સલાહ આપે છે એ વિશે તેમણે જણાવ્યું છે. નસીરુદ્દીન શાહ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને રાજકારણ વિશે જાહેરમાં પોતાના વિચાર માંડે છે. એથી તેઓ જાહેરમાં કોઈ પણ વિષયને લઈને ચર્ચા ન કરે એવી સલાહ રત્ના પાઠક શાહ તેમને આપે છે. એ વિશે રત્ના પાઠક શાહે કહ્યું કે ‘હાલના સમયમાં કોઈ પણ આપણા ઘરની બહાર પથ્થરમારો કરવા આવીને ઊભા રહી જશે. હાલમાં કામ મળવું પણ મુશ્કેલ છે. એની પાછળ ઘણાંબધાં કારણો પણ જવાબદાર છે. એથી જો શક્ય હોય તો આપણે ગભરાવાની નહીં, પરંતુ સમજદાર બનવાની જરૂર છે. ડર લાગે છે, પરંતુ શું કરી શકીએ. દુનિયામાં જો કાંઈ ખોટું થતું હોય અને એની વિરુદ્ધ અવાજ ન ઉઠાવીએ તો એ સુધરશે કેમ? અમે કોઈ રિસ્ક નથી લેવા માગતાં. અત્યાર સુધી તો એવી અપ્રિય ઘટના નથી બની. ભવિષ્યમાં જોઈએ શું થાય છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood ratna pathak naseeruddin shah