ફૅન્સ પાસે શાની સલાહ માગી કાર્તિક આર્યને ?

23 June, 2022 06:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કાર્તિક આર્યને તેના ફૅન્સ પાસે એક અગત્યની સલાહ માગી છે. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ ગમી છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યને તેના ફૅન્સ પાસે એક અગત્યની સલાહ માગી છે. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ ગમી છે. લોકો તેના કામની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. કાર્તિક સોશ્યલ મીડિયામાં ઍક્ટિવ રહીને તેના ફૅન્સ સાથે ખૂબ મજાકમસ્તી કરતો હોય છે. કાર્તિક ‘શહઝાદા’માં જોવા મળવાનો છે. પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી, ‘શહઝાદાને વેકેશન માટે સારા ડેસ્ટિનેશનની સલાહ જોઈએ છે.’તેની આવી કૅપ્શન જોઈને તો તેના ફૅન્સ પણ તેની સાથે મસ્તીના મૂડમાં દેખાયા. કેટલાક ફૅન્સે તેને 
ડેસ્ટિનેશન માટે પોતાના ઘરે આવવાની સલાહ આપી હતી. તો અન્યએ કમેન્ટ કરી કે ‘મૉલદીવ્ઝ જા અને શર્ટલેસ 
ફોટો આપ.’

bollywood news kartik aaryan