યુવાનોને કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવા માટે કહ્યું વિવેક અગ્નિહોત્રીએ

28 August, 2022 08:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

વિવેક અગ્નિહોત્રીએ યુવાનોને ખાસ સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવી જોઈએ. કાર્તિકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાતે સ્થાન જમાવ્યું છે.

વિવેક અગ્નિહોત્રી

વિવેક અગ્નિહોત્રીએ યુવાનોને ખાસ સલાહ આપતાં જણાવ્યું છે કે તેમણે કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવી જોઈએ. કાર્તિકે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં જાતે સ્થાન જમાવ્યું છે. તેની ‘ભૂલભુલૈયા 2’ લોકોને ખૂબ ગમી હતી. તે હાલમાં ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રીને મળ્યો હતો. તેને જોઈને તેના ફૅન્સ અટકળો લગાવવા લાગ્યા છે કે કદાચ આ બન્ને કોઈ પ્રોજેક્ટમાં સાથે કામ કરવાના છે. કાર્તિક સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને વિવેક અગ્નિહોત્રીએ કૅપ્શન આપી હતી, ‘બન્ને નાનાં શહેરોથી, મિડલ-ક્લાસ, ગ્વાલિયરથી આવેલા, જેમણે પોતાની જાતે ઇન્ડસ્ટ્રીમાં સ્થાન મેળવ્યું છે. જો તમે યંગ ઇન્ડિયન હો તો તમારે આ વિનમ્ર, મૂળથી જોડાયેલા અને અતિશય ટૅલન્ટેડ કાર્તિક આર્યન પાસેથી પ્રેરણા લેવી જોઈએ.’

bollywood news vivek agnihotri kartik aaryan