23 January, 2021 04:25 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વરુણ ધવન અને નતાશા દલાલ
વરુણ ધવન અને નતાશા દલાલ લગ્ન માટે અલીબાગ ઊપડી ગયાં છે. તેઓ ગઈ કાલે સવારે ફૅમિલી સાથે અલીબાગ જતાં જોવા મળ્યાં હતાં. તેમનાં લગ્ન ૨૪ જાન્યુઆરીએ છે, પરંતુ ગઈ કાલથી તેમણે ફંક્શન શરૂ કરી દીધાં હતાં. તેમની ફૅમિલી પોતપોતાના ઘરેથી કારમાં જતી જોવા મળી હતી. તેઓ અલીબાગના ધ મૅન્શન હાઉસ રિસૉર્ટમાં લગ્ન કરશે એવી ચર્ચા છે. કોરોનાને કારણે તેમણે સાદાઈમાં લગ્ન કરવાનું નક્કી કર્યું છે. આ લગ્નમાં ફક્ત 40 માણસો હાજર હશે એવી ચર્ચા છે.