‘તૂફાન’ના પાત્રએ સ્ટ્રૉન્ગ અને આત્મવિશ્વાસુ બનાવી છે મૃણાલ ઠાકુરને

13 July, 2021 12:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું ઘણુંબધું શીખી છું. મારા પાત્ર અનન્યાથી મૃણાલ ખૂબ સ્ટ્રૉન્ગ અને કૉન્ફિડન્ટ બની છે. સાથે જ એક વ્યક્તિ તરીકે પણ વાત જ્યારે મારી ફૅમિલીની આવે તો હું ઉત્પ્રેરક બની જાઉં છું.’

‘તૂફાન’ના પાત્રએ સ્ટ્રૉન્ગ અને આત્મવિશ્વાસુ બનાવી છે મૃણાલ ઠાકુરને

મૃણાલ ઠાકુરનું કહેવું છે કે ‘તૂફાન’માં તેના પાત્ર અનન્યાએ તેને સ્ટ્રૉન્ગ અને કૉન્ફિડન્ટ બનાવી છે. ફરહાન અખ્તરની આ ફિલ્મને રાકેશ ઓમપ્રકાશ મેહરાએ બનાવી છે. ફિલ્મની સ્ટોરી એક બૉક્સરની છે જે તમામ પડકારોનો સામનો કરીને પોતાની સખત મહેનતના દમ પર સફળતા મેળવે છે. આ ફિલ્મ ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર ૧૬ જુલાઈએ રિલીઝ થવાની છે. ફિલ્મના પોતાના પાત્રને લઈને મૃણાલે કહ્યું હતું કે ‘મને લાગે છે કે આ મારા માટે સૌથી વધુ તોફાની ક્ષણો છે. આ મારી ચોથી ફિલ્મ છે અને મને રાકેશ સર સાથે કામ કરવાની તક મળી ગઈ છે. મને લાગે છે કે અન્ય ઍક્ટ્રેસિસને મારી ઈર્ષા થતી હશે, પરંતુ હું તો પોતાને નસીબદાર માનું છું. હું ઘણુંબધું શીખી છું. મારા પાત્ર અનન્યાથી મૃણાલ ખૂબ સ્ટ્રૉન્ગ અને કૉન્ફિડન્ટ બની છે. સાથે જ એક વ્યક્તિ તરીકે પણ વાત જ્યારે મારી ફૅમિલીની આવે તો હું ઉત્પ્રેરક બની જાઉં છું.’

bollywood news bollywood bollywood gossips mrunal thakur