18 November, 2019 12:47 PM IST | Mumbai Desk
બોલીવુડ અભિનેતા અજય દેવગન અને અભિનેત્રી કાજોલ સ્ટારર ફિલ્મ 'તાનાજીઃ ધ અનસંગ વૉરિયર'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં જ ટ્રેલર રિલીઝ થવાનું છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ પહેલા અજય દેવગને ફિલ્મનું વધુ એક પોસ્ટર શૅર કર્યું, જેમાં કાજોલના પાત્રને ઇન્ટ્રોડ્યૂસ કરાવ્યું છે. આમાં કાજોલ સાવિત્રીબાઈ માલુસરેનું પાત્ર ભજવવાની છે. આ પહેલા અજય, સૈફ અલી ખાન સહિત કેટલાય પાત્રોના લૂક રિવીલ કરવામાં આવી ગયા છે.
ફિલ્મમાં અભિનેત્રી કાજોલ મરાઠી ગેટઅપમાં દેખાય છે. અજય દેવગને ફિલ્મનું પોસ્ટર રિલીધ કરતાં લખ્યું છે, 'સાવિત્રીબાઈ માલુસરે- તાનાજીના સાહસનો સહારો... અને તેમના બળની શક્તિ.' આ પહેલા પણ ફિલ્મના ત્રણ ટીઝર આવી ચૂક્યા છે. ફિલ્મ છત્રપતિ શિવાજી મહારાજના સૂબેદાર માલુસરે તાનાજી પર આધારિત છે અને આમાં કાજોલ સાવિત્રીબાઈ માલુસરેની ભૂમિકામાં દેખાશે.
ફિલ્મ તાનાજીઃ ધ અનસંગ વૉરિયર આવતાં વર્ષે 10 જાન્યુઆરીના મોટા પડદા પર રિલીઝ થવાની છે અને ફિલ્મનું પોસ્ટર 18 નવેમ્બર એટલે કે મંગળવારે રિલીઝ કરવામાં આવશે. અત્યાર સુધી ફિલ્મના ટીઝર રિલીઝ થયા છે, જેમાં સંજય મિશ્રાનો અવાજ ખૂબ જ પ્રભાવક લાગે છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્રેલરમાં પણ સંજય મિશ્રાના ઘણાં ડાયલૉગ હોઇ શકે છે, જે ફિલ્મ ટ્રેલરને દમદાર બનાવવામાં મદદ કરશે.
આ પણ વાંચો : સાદગી અને સુંદરતાનો પર્યાય છે Dia Mirza, આ તસવીરો છે પુરાવો
આ પહેલા અજય દેવગને પોસ્ટર પણ રિલીઝ કર્યા છે. વર્ષની શરૂઆતમાં આવતી આ ફિલ્મથી તેમને ઘણી આશાઓ છે. આ ફિલ્મ ઓમ રાઉતે ડાયરેક્ટ કરી છે. પહેલા આ ફિલ્મ વર્ષના અંતમાં જ રિલીઝ થવાની હતી, પણ આની રિલીઝ પાછળ ધકેલીને 10 જાન્યુઆરી કરવામાં આવી છે.