08 August, 2022 05:14 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તાપસી પન્નું
‘કૉફી વિથ કરણ’માં ન જવાનું કારણ તાપસી પન્નુએ જણાવ્યું છે. તે ‘દો બારા’માં જોવા મળવાની છે. ‘કૉફી વિથ કરણ’માં અનેક સેલિબ્રિટીઝ જાય છે. એ શોમાં અનેક જાણી-અજાણી વાતો પણ લોકોને જાણવા મળે છે. જોકે તાપસીએ આ શોથી અંતર રાખ્યું છે. તાપસી તેની ‘દો બારા’ને પ્રમોટ કરી રહી છે. એના પ્રમોશન દરમ્યાન તેને પૂછવામાં આવ્યું હતું કે તું કરણ જોહરના ‘કૉફી વિથ કરણ’માં કેમ નથી જતી? એનો જવાબ આપતાં તાપસીએ કહ્યું કે ‘મારી સેક્સ-લાઇફ એટલી મજેદાર નથી કે મને ‘કૉફી વિથ કરણ’માં બોલાવવામાં આવે.’