07 August, 2020 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર સૌજન્ય: ઈનસ્ટાગ્રામ
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાનો કેસ દર દિવસે એક નવા રહસ્યો ખોલી રહ્યો છે. અભિનેતાની આત્મહત્યાના કેસમાં સીબીઆઈએ સુશાંત સિંહ રાજપૂતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakroborty) અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. દરમિયાન અભિનેતાની પર્સનલ ડાયરી હાથ લાગી છે. ચોંકાવનારી વાત એ છે કે, સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરીમાંથી વચ્ચેના ત્રણ પાનાં ગાયબ છે. આ એ ડાયરી છે જેમાં અભિનેતા અંગત અનુભવ અને ભવિષ્યનું પ્લાનિંગ લખતો હતો.
સુશાંત સિંહ રાજપૂતના પિતા કે.કે.સિંહના વકીલ વિકાસ સિંહે પહેલાં પણ અભિનેતાની પર્સનલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સુશાંતની આ ડાયરી મળતાં ઘણા રહસ્ય ખુલ્યાં છે. તાજેતરમાં ટાઈમ્સ નાવએ દાવો કર્યો હતો કે, સુશાંત સિંહ રાજપૂતની પર્સનલ ડાયરી મળી છે. જેનાં કેટલાંક પાનાં ફાટેલાં છે. ચેનલે દાવો કર્યો છે કે, ડાયરીમાં એક નામનો ઉલ્લેખ છે. જે બાદથી પાનાં ગૂમ છે. જે ફરીથી મુંબઇ પોલીસની કાર્યવાહી પર શંકા ઉભી કરી છે.
સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પણ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, સુશાંત પર્સનલ ડાયરી લખતો હતો. સુશાંત મારી સાથે હતો ત્યારે પણ તે આગામી પાંચ વર્ષનું પ્લાનિંગ ડાયરીમાં કરતો હતો અને આગામી પાંચ વર્ષમાં તેનાં ઉપર કામ કરતો હતો.
અભિનેતાના નિધનનાં બે મહિના બાદ તેની પર્સનલ ડાયરી મળવા પર રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે, ડાયરીની સરખામણી નિક્સન ટેપો સાથે થઈ શકે છે. તેમણે કહ્યું હતું કે, સુશાંતની પર્સનલ ડાયરી તપાસ માટે એક ઉત્તમ લીડ છે.
રિપોર્ટમાં સુશાંતની સાથે તેનાં જ ઘરમાં રહેનારા તેનાં મિત્ર સિદ્ધાર્થ પિઠાનીનાં હવાલાથી કહેવામાં આવ્યું છે કે, આત્મહત્યાના દિવસે રૂમમાં કેટલાંક પાનાંનાં ટુકડા પડ્યા હતાં. પોલીસે ડાયરી અને નોટબક અંગે પુછ્યુ હતું. અમે તેમને સુશાંતની 20 ડાયરીઓ આપી હતી એ ઉપરાંત કબાટમાં કેટલાંક ચિટ્સ પણ હતી. જેનો ફોટો પોલીસે લીધો હતો.
આ પણ વાંચો: સુશાંત આત્મહત્યા કેસમાં બિહાર પોલીસે સુપ્રીમ કોર્ટમાં એફીડેવિટ ફાઈલ કરી
ડાયરીનાં પાનાં કેવી રીતે ફાટ્યા? કોણે ફાડયાં?, તે હવે તપાસનો વિષય છે. સાથે જ ડાયરી અંગે મુંબઈ પોલીસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યાં છે. આખરે પરિવાર અને મિત્રોએ વારંવાર પર્સનલ ડાયરીનો ઉલ્લેખ કર્યો હતો છતા પણ પોલીસનું ધ્યાન તેનાં તરફ કેમ ન ગયું?