સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: કરણ જોહરની આ અઠવાડિયે પૂછપરછ થશે

28 July, 2020 09:10 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: કરણ જોહરની આ અઠવાડિયે પૂછપરછ થશે

સુશાંત સિંહ રાજપૂત, કરણ જોહર

34 વર્ષીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના કેસમાં મુંબઈ પોલીસ દરેક પાસાની બારીકાઈથી તપાસ કરી રહી છે. આ કેસમાં પોલીસે અત્યાર સુધી પરિવાર, ડૉક્ટર, નજીકનાં મિત્રો સહિત બૉલીવુડના અનેક સેલબ્ઝની પૂછપરછ કરી છે. હવે આ કેસના સંદર્ભમાં મુંબઈ પોલીસ ફિલ્મમેકર અને ધર્મા પ્રોડક્શનના માલિક કરણ જોહર (Karan Johar)ની પૂછપરછ કરવાની છે. આ વાતની પુષ્ઠિ સમાચાર એજન્સી એએનઆઈએ કરી છે.

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ બહુ જોર પકડયું છે અને કરણ જોહર પર સતત આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ફક્ત ફૅન્સ જ નહીં પણ બૉલીવુડના કેટલાંક સેલેબ્ઝે પણ સુશાંતની આત્મહત્યા માટે કરણ જોહર પર આક્ષેપો કર્યા છે. સમાચાર એજન્સી એએનઆઈએ ટ્વીટ કર્યુ હતું. જેમાં કહ્યું છે કે, સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કેસના સંદર્ભમાં મુંબઈ પોલીસ આ અઠવાડિયે ફિલ્મમેકર કરણ જોહરની પૂછપરછ કરશે.

સુત્રોએ આપેલી માહિતી મુજબ, પોલીસે ફિલ્મમેકર પાસે અભિનેતા સાથેની ફિલ્મ 'ડ્રાઈવ'ની કોન્ટ્રેક્ટ કોપી માંગી છે. આ કેસમાં મુંબઈ પોલીસ શક્ય હોય તેટલા બધા જ પાસાની તપાસ કરી રહી છે. ગત રવિવારે જ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, કરણ જોહરના મેનેજરને પણ સમન્સ મોકલવામાં આવ્યા છે. જો જરૂર પડશે તો કરણ જોહરને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

આ પણ વાંચો: કરણ જોહરની ટીમ ઓનઈલાઈન ટ્રોલર્સના અકાઉન્ટ કરી રહી છે ટ્રેસ

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂનના રોજ બાંદ્રા સ્થિત ઘરમાં ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. અભિનેતા ડિપ્રેશનનો શિકાર હતો અને છ મહિનાથી સારવાર ચાલી રહી હતી. આ કેસની પોલીસ તપાસ ચાલી રહી છે. હજી સુધી પોલીસે લગભગ 40 લોકોની પૂછપરછ કરી છે.

entertainment news bollywood bollywood news bollywood gossips mumbai police sushant singh rajput karan johar