સુપરસ્ટારની ફિલ્મ `અન્નાત્થે` નું ટ્રેલર રિલીઝ, જુઓ રજનીકાંતનો ઢાંસુ એક્શન અવતાર

28 October, 2021 07:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

ફેન્સ ફરી એકવાર તેમના `થલાઈવા`ના નવા લુકને જોવા માટે ઉત્સુક છે.

રજનીકાંત

સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેઈટેડ ફિલ્મ `અન્નાત્થે` નું ટ્રેલર રિલીઝ થયું છે.  ટ્રેલર રિલીઝ થતાં  ફેન્ચમાં ધુમ મચી ગઈ છે. દર્શકો દ્વારા આ ટ્રેલરને ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. ટ્રેલરમાં ફરી એકવાર રજનીકાંતનો જબરદસ્ત એક્શન હીરો અવતાર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં તેની સાથે અભિનેત્રી કીર્તિ સુરેશ, નયનતારા, મીના, ખુશ્બુ અને પ્રકાશ રાજ સામેલ છે. ફિલ્મની વાર્તા ગામડાના વાતાવરણને દર્શાવે છે. ફિલ્મ શાનદાર ગીતો અને પાવર પેક્ડ એક્શનથી ભરેલી લાગે છે.

અન્નાત્થેના 2.40 મિનિટના ટ્રેલરમાં રજનીકાંતના રોમાન્સથી લઈને કોમેડી અને જબરદસ્ત એક્શન બતાવવામાં આવ્યા છે. ચાહકોને આ ટ્રેલર ખૂબ જ પસંદ આવી રહ્યું છે. 27 ઓક્ટોબરે રિલીઝ થયેલા આ ટ્રેલરને અત્યાર સુધીમાં 50 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. ફેન્સ ફરી એકવાર તેમના `થલાઈવા`ના નવા લુકને જોવા માટે ઉત્સુક છે. રજનીકાંત પ્રત્યેનો તેમનો જુસ્સો એ સમજાવવા માટે પૂરતો છે કે તેમને દક્ષિણની સાથે સમગ્ર ભારતના સુપરસ્ટાર કેમ કહેવામાં આવે છે. ફિલ્મમાં કીર્તિ સુરેશ તેની બહેનની ભૂમિકા ભજવી રહી છે જ્યારે નયનતારા તેની સામે જોવા મળશે.

આ ફિલ્મ સન પિક્ચર્સના બેનર હેઠળ બનાવાવમાં આવી છે.  ફલિ્મ 4 નવેમ્બરના રોજ રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરને શેર કરતાં પ્રોડક્શન હાઉસે લખ્યું છે કે, "અરવરમાઈ અક્રોશમાઈ આનંદમાઈ #Annathe ટ્રેલર." રજનીકાંત છેલ્લે AR મુરુગાદોસની ફિલ્મ `દરબાર`માં જોવા મળ્યા હતા, જે 2020માં થિયેટરોમાં રિલીઝ થઈ હતી. પરંતુ હવે રજનીકાંત ફરી એકવાર ધમાલ મચાવવા માટે તૈયાર છે. તાજેતરમાં તેમને પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

rajinikanth bollywood news entertainment news