ફૅમિલીમાં ખરાબ વહુ આવતાં ડખા ઊભા થયા છે : સુનીતા ગોવિંદા આહુજા

18 September, 2021 01:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

સુનીતાએ સીધી રીતે કાશ્મીરા શાહ પર પ્રહાર કર્યો છે

સુનીતા અને ગોવિંદા આહુજા, કાશ્મીરા અને કૃષ્ણા શાહ

ગોવિંદાની વાઇફ સુનીતા આહુજા મુજબ તેમના પરિવારમાં વિવાદ ત્યારે ઊભા થયા જ્યારે તેમના ઘરમાં ખરાબ વહુએ પ્રવેશ કર્યો. સુનીતાએ સીધી રીતે કાશ્મીરા શાહ પર પ્રહાર કર્યો છે. કાશ્મીરા કૃષ્ણા અભિષેકની વાઇફ છે. કૃષ્ણા અને ગોવિંદા મામા-ભાણેજ છે. તાજેતરમાં જ ગોવિંદા અને તેનો આખો પરિવાર ‘ધ કપિલ શર્મા શો’માં આવ્યો હતો. તેઓ આવવાના હોવાથી કૃષ્ણાએ આ શોમાં આવવાની ના પાડી હતી. તાજેતરમાં જ ગોવિંદાની વાઇફની નિંદા કરતાં કાશ્મીરાએ કહ્યું હતું કે ‘સુનીતા કોણ છે? મેં જાતે નામના મેળવી છે. હું કોઈની વાઇફ તરીકે નથી ઓળખાતી.’

તેને જવાબ આપતાં સુનીતાએ કહ્યું હતું કે ‘હું ખરાબ બાબતોને રિપ્લાય નથી આપતી. તેમની એક બાળક તરીકે કાળજી રાખ્યા બાદ તેઓ આવું ખરાબ વર્તન કરી રહ્યા છે. અમે જ્યારે ખરાબ વહુને ઘરમાં લઈ આવ્યા ત્યારથી જ સમસ્યા ચાલુ થઈ ગઈ છે. ગોવિંદાએ પહેલેથી જ તાકીદ કરી રાખી હતી કે પરિવારના મુદ્દાઓને જાહેરમાં ન લાવવા જોઈએ, પરંતુ કેટલાક લોકોને પબ્લિસિટી જોઈતી હોય છે. એથી તેઓ આવા મુદ્દાઓને ઉછાળે છે. આ બધી વસ્તુઓની હંમેશાંથી કૃષ્ણા તરફથી શરૂઆત થાય છે. મને એ જાણ નથી કે મા-દીકરાની વચ્ચે અન્ય લોકો શું કામ કૂદે છે. તે કોણ છે અને તેને કોણ ઓળખે છે? હું છેલ્લાં ૩૬ વર્ષોથી ગોવિંદાની વાઇફ છું અને તે તો હમણાં આવી છે. અમારી લાઇફમાં અમે ખુશ છીએ, હું એટલી બિઝી છું કે આવા લોકો તરફ ધ્યાન આપવાનો મારી પાસે સમય નથી.’

bollywood news entertainment news govinda krushna abhishek