સુદીપ કિચ્ચાની ‘વિક્રાન્ત રોણા’ ૧૯ ઑગસ્ટે રિલીઝ થશે

16 April, 2021 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ૧૪ ભાષામાં અને પંચાવન દેશમાં રિલીઝ કરવામાં આવશે

સુદીપ કિચ્ચા

સુદીપ કિચ્ચાની ‘વિક્રાન્ત રોણા’ને ૧૯ ઑગસ્ટે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને થિયેટર્સમાં જ રિલીઝ કરવામાં આવશે. સુદીપ કિચ્ચાને ઇન્ડસ્ટ્રીમાં ૨૫ વર્ષ પૂરાં થયાં છે અને તેની આ ફિલ્મને ૧૪ ભાષામાં અને પંચાવન દેશમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મને પ્રોડ્યુસ જૅક મંજુનાથ દ્વારા કરવામાં આવી છે અને ડિરેક્ટ અનુપ ભંડારીએ કરી છે. આ વિશે અનુપ ભંડારીએ કહ્યું હતું કે ‘હું રિલીઝની જાહેરાતથી ખૂબ જ એક્સાઇટેડ છું. અમારું  પોસ્ટ-પ્રોડક્શનનું કામ જોરશોરમાં ચાલી રહ્યું છે. અમારી ટીમ સાથે બેસ્ટ ટેક્નિશ્યન જોડાયેલા છે અને અમે ‘વિક્રાન્ત રોણા’ દ્વારા દર્શકોને બેસ્ટ એક્સ્પીરિયન્સ આપવાની કોશિશ કરીશું.’

bollywood bollywood news upcoming movie entertainment news