સીતાની ભૂમિકા ભજવવા માટે શ્રદ્ધાએ રણબીર અને અજયની ફિલ્મોને કહી ના!

22 September, 2019 10:46 AM IST  |  મુંબઈ

સીતાની ભૂમિકા ભજવવા માટે શ્રદ્ધાએ રણબીર અને અજયની ફિલ્મોને કહી ના!

સીતાની ભૂમિકા ભજવવા માટે શ્રદ્ધાએ રણબીર અને અજયની ફિલ્મોને કહી ના!

ફિલ્મ અભિનેત્રી શ્રદ્ધા કપૂરે કદાચ અજય દેવગણ અને રણબીર કપૂરની ફિલ્મો છોડી દીધી છે. ખબરોની માનો તો કાંઈક એવું જ છે. શ્રદ્ધા કપૂર જલ્દી જ અજય દેવગણ અને રણબીર કપૂરની સાથે ફિલ્મમાં કામ કરતી નજર આવવાની હતી. આ ફિલ્મનું નિર્દેશન લવ રંજન કરવાના હતા પરંતુ અહેવાલો પ્રમાણે શ્રદ્ધા કપૂરે રણબીર કપૂર અને અજય દેવગણની ફિલ્મો છોડી દીધી છે.

આ ફિલ્મોના બદલે તે નિતેશ તિવારીના નિર્દેશનમાં બનનાની રામાયણમાં સીતાની ભૂમિકા ભજવતી નજર આવશે. ફિલ્મનું બજેટ 600 કરોડ રૂપિયા છે અને આ ફિલ્મમાં કે માતા સીતાની ભૂમિકા નિભાવતી નજર આવશે.


મહત્વનું છે કે શ્રદ્ધા કપૂર હાલમાં જ નિતેશ તિવારીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ છિછોરેમાં નજર આવી હતી. આ ફિલ્મે બોક્સ ઑફિસ પર અત્યાર સુધી 110 કરોડ રૂપિયાનો વેપાર કર્યો છે. શ્રદ્ધા કપૂરને લાગે છે કે નિતેશ તિવારીની કામ કરવાની સ્ટાઈલ પસંદ આવી છે અને તે તેની સાથે કામ કરવામાં સરળ અને સહજ હોય છે. શ્રદ્ધા કપૂરે હાલમાં જ પોતાની સૌથી મોટી ફિલ્મ સ્ટ્રીટ ડાન્સર થ્રી ડીનું શૂટિંગ પુરું કરી લીધું છે.

આ પણ જુઓઃ Gully Boy In Oscars Awards: જાણો ફિલ્મ સાથે જોડાયેલા ખાસ વાતો...

ફિલ્મમાં તે ફરી એક વાર વરૂણ ધવન સાથે નજર આવશે. આ ફિલ્મનું નિર્દેશન રેમો ડિસૂઝા કરી રહ્યા છે. આ ફિલ્મમાં પ્રભુદેવા, નોરા ફતેહી, અપારશક્તિ ખુરાના અને શક્તિ મોહન મહત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ 24 જાન્યુઆરી 2020ના રિલીઝ થવાની છે. શ્રદ્ધા કપૂરની હાલમાં જ બે મોટી ફિલ્મો રીલિઝ થઈ હતી. જેમાં એક સાહો અને બીજી છિછોરે છે.

shraddha kapoor ajay devgn ranbir kapoor