20 September, 2021 01:39 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
શાહરુખ ખાન
બૉલિવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘરે દરેક તહેવાર ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવે છે. રવિવારે ગણપતિ વસર્જન હતું. દસ દિવસની પૂજા બાદ ભક્તોએ બાપ્પાને વિદાય આપી. આ અવસરે શાહરુખ કાને સોશિયલ મીડિયા પર ગણપતિ બાપ્પાની એક તસવીર શૅર કરી છે. સાથે જ એક હ્રદયસ્પર્શી પોસ્ટ પણ લખી છે. તેમણે કહ્યું કે ભગવાનના આશીર્વાદ બધા પણ રહે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ
શાહરુખ ખાન લખે છે કે, "ભગવાન ગણેશના આશીર્વાદ બધા પર ત્યાં સુધી રહે જ્યાં સુધી આપણે તેમને આવતા વર્ષે ફરી ન જોઈએ. ગણપતિ બાપ્પા મોરયા."
દર વર્ષે કરે છે સેલિબ્રેટ
ગયા વર્ષે પણ શાહરુખ ખાને ગણપતિ ઉત્સવના અવસરે શુભેચ્છાઓ આપી હતી. તેણે પોતાની એક મોનોક્રોમ તસવીર શૅર કરી હતી. તેના માથે એક લાલ તિલક કરેલું હતું. શાહરુખ ખાને લખ્યું હતું કે, "પ્રાર્થના અને વિસર્જન કર્યું. આ ગણેશ ચતુર્થી, ભગવાન ગણેશ તમને અને તમારા પ્રિયજનોને આશીર્વાદ અને ખુશી આપે. ગણપતિ બપ્પા મોરયા."
શૂટિંગમાં વ્યસ્ત
શાહરુખ ખાન હાલ નિર્દેશક એટલીની આગામી ફિલ્મનું શૂટિંગ પુણેમાં કરી રહ્યા છે. ફિલ્મમાં શાહરુખ ખાન સાથે નયનતારા, પ્રિયામણિ અને રાણા દગ્ગુબાતી છે. શાહરુખ ખાન પાસે આ સિવાય `પઠાન` પણ છે. સાથે જ તે ફિલ્મ `બ્રહ્માસ્ત્ર`માં પણ કેમિયો રોલમાં જોવા મળશે.