દુનિયામાંથી એકલા વિદાય થવું ગમશે સમન્થાને

28 May, 2022 01:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તાજેતરમાં જ ટ્વિટર પર એક સોશ્યલ મીડિયા યુઝરે તેના પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સમન્થા કૂતરા અને બિલાડાઓ સાથે રહીને આ દુનિયામાંથી એકલી જ જવાની છે.

સમન્થા રુથ પ્રભુ

સમન્થા રૂથ પ્રભુએ ટ્રોલને જવાબ આપતાં જણાવ્યું છે કે દુનિયામાંથી એકલા જ વિદાય થવું તેની ખુશનસીબી રહેશે. સમન્થાની પર્સનલ લાઇફ અને ડિવૉર્સને લઈને તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી છે. તો ક્યારેક કપડાંને લઈને પણ તેને ટ્રોલ કરવામાં આવે છે. જોકે તેના મતે ટ્રોલિંગ અગત્યનું નથી. તે માત્રને માત્ર પોતાના કામ પર જ ધ્યાન આપે છે. તાજેતરમાં જ ટ્વિટર પર એક સોશ્યલ મીડિયા યુઝરે તેના પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સમન્થા કૂતરા અને બિલાડાઓ સાથે રહીને આ દુનિયામાંથી એકલી જ જવાની છે. બાદમાં એણે એ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું હતું. જોકે એને રિપ્લાય આપતાં સમન્થાએ લખ્યું હતું કે એ માટે હું પોતાને લકી માનીશ.

bollywood news bollywood bollywood gossips entertainment news samantha ruth prabhu