સોશ્યલ મીડિયા પર હંમેશાં સ્વીકારવામાં આવે એવો આગ્રહ નથી રાખતી સમન્થા

01 December, 2021 03:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લોકો હંમેશાં અલગ મત ધરાવે એ માટે હું તેમને પ્રોત્સાહિત પણ કરું છું. જોકે એમ છતાં આપણે એકમેકને પ્રેમ કરવો જોઈએ અને લાગણી દેખાડવી જોઈએ.

સમંથા રુથ પ્રભુ

સમન્થા રુથ પ્રભુનું કહેવું છે કે તે એવી આશા ક્યારેય નથી રાખતી કે સોશ્યલ મીડિયા પર હંમેશાં તેનો સ્વીકાર કરવામાં આવે. સમન્થા હાલમાં સાઉથની ​ફિલ્મોની સાથે બૉલીવુડ પર પણ ફોકસ કરી રહી છે. લાઇફમાં તે હંમેશાં ચૅલેન્જનો સ્વીકાર કરવામાં માને છે. સોશ્યલ મીડિયા વિશે વાત કરતાં સમન્થાએ કહ્યું હતું કે ‘બદલાવની વાત જ્યારે આવે છે ત્યારે હું માનું છું કે કોઈએ તો પહેલું સ્ટેપ ભરવું પડશે. હું કોઈ દિવસ એવો આગ્રહ નથી રાખતી કે લોકો મારો હંમેશાં સ્વીકાર કરે. લોકો હંમેશાં અલગ મત ધરાવે એ માટે હું તેમને પ્રોત્સાહિત પણ કરું છું. જોકે એમ છતાં આપણે એકમેકને પ્રેમ કરવો જોઈએ અને લાગણી દેખાડવી જોઈએ. હું તેમને એટલી જ વિનંતી કરું છું કે તેઓ તેમની નારાજગી થોડી સભ્યતામાં રહીને દેખાડે.’

bollywood news bollywood gossips bollywood entertainment news samantha ruth prabhu