કિયારા અડવાણીને કેમ નામ બદલવા કહેલું સલમાન ખાને?

10 May, 2019 10:14 AM IST  |  મુંબઈ

કિયારા અડવાણીને કેમ નામ બદલવા કહેલું સલમાન ખાને?

કિયારા અડવાણી

કિયારા અડ‍વાણી હાલમાં ઘણી ફિલ્મોમાં કામ કરી રહી છે, પરંતુ બૉલીવુડમાં એન્ટ્રી કરતાં પહેલાં સલમાન ખાને તેને નામ બદલવા માટે કહ્યું હતું. આ નામ બદલવાનું કહેવા પાછળનું કારણ આલિયા ભટ્ટ છે. આલિયાએ ૨૦૧૨માં આવેલી ‘સ્ટુડન્ટ ઑફ ધ યર’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી, જ્યારે કિયારાએ ૨૦૧૪માં આવેલી અક્ષયકુમારના પ્રોડક્શનની ‘ફગલી’ દ્વારા એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં સલમાન અને અક્ષયકુમારે એક પ્રમોશનલ ગીત પણ કર્યું હતું. તેનું નામ બદલવા પાછળની સ્ટોરી જણાવતાં એક ચૅટ-શોમાં કિયારાએ કહ્યું હતું કે ‘મારું સાચું નામ આલિયા છે. આલિયા ભટ્ટને કારણે સલમાન ખાને મને મારું નામ બદલવાનું સજેસ્ટ કર્યું હતું. તેમનું માનવું છે કે બૉલીવુડમાં એક જ નામની બે હિરોઇન ન હોવી જોઈએ. તેમણે નામ બદલવાનું સજેસ્ટ કર્યું હતું અને મેં કિયારા રાખ્યું હતું. મારા પેરન્ટ્સ પણ મને હવે કિયારા કહીને બોલાવે છે.’

આ પણ વાંચોઃ પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહીલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ

bollywood kiara advani entertaintment Salman Khan alia bhatt