12 July, 2021 03:54 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
હૉસ્પિટલમાં દાખલ નસીરુદ્દીન શાહના ખબરઅંતર પૂછવા જતાં હતાં સાયરા બાનુ
નસીરુદ્દીન શાહે જણાવ્યું હતું કે તેઓ જ્યારે દિલીપકુમારની સાથે જ હૉસ્પિટલમાં દાખલ હતા ત્યારે તેમના હાલચાલ પૂછવા માટે સાયરા બાનું જતાં હતાં. બાદમાં ૭ જુલાઈએ તેમને ડિસ્ચાર્જ મળી ગયો હતો. તેમને સાયરા બાનુ મળવા આવ્યાં ત્યારે તેમની વચ્ચે જે વાતચીત થઈ હતી એ વિશે નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે ‘તેમણે મારા માથા પર હાથ મૂકીને મને આશીર્વાદ આપ્યા હતા અને કહ્યું હતું કે સાહબ તમારા વિશે પૂછી રહ્યા હતા. હું ખૂબ લાગણીવશ થયો હતો. હું તેમને મળવા માગતો હતો. જોકે બદનસીબે જે દિવસે મને ડિસ્ચાર્જ મળ્યો એ જ દિવસે તેઓ પણ આપણને છોડીને ચાલ્યા ગયા.’