આલિયા પાસેથી પ્રેરણા લેવાની વાત કરી રણબીરે

19 September, 2022 03:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બન્નેની ‘બ્રહ્માસ્ત્ર’ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે અને બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મ સારી ચાલી રહી છે

આલિયા ભટ્ટ અને રણબીર કપૂર

રણબીર કપૂરે જણાવ્યું કે લોકોએ આલિયા ભટ્ટ પાસેથી પ્રેરણા લેવી જોઈએ. બન્નેની ‘બ્રહ્માસ્ત્ર’ ૯ સપ્ટેમ્બરે રિલીઝ થઈ છે અને બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મ સારી ચાલી રહી છે. વાઇફ આલિયાની પ્રશંસા કરતાં રણબીરે કહ્યું કે ‘ભારતીય સિનેમાના ઇતિહાસમાં આલિયા કદાચ ખૂબ અગત્યના ઍક્ટર્સમાંની એક હશે. આ હું એટલા માટે નથી કહેતો કે તે મારી વાઇફ છે, પરંતુ તેણે ઑન-સ્ક્રીન જે રીતે કામ કર્યું છે અને પોતાની જાતને બનાવી છે. તેનામાં જે આદર્શ છે એવુ મેં કોઈ પણ પુરુષ કે સ્ત્રીમાં નથી જોયું. મારું એટલું જ કહેવું છે કે એ બાબતોને માન આપવું જોઈએ. પ્રેગ્નન્ટ હોવા છતાં તેણે ફિલ્મના માર્કેટિંગમાં પણ યોગદાન આપ્યું છે. આ સ્થિતિમાં રહીને પણ તે સક્રિય છે, એથી મારું માનવું છે કે એનાથી લોકોએ પ્રેરણા લેવી જોઈએ. કોઈ પણ પ્રકારની નિંદા થાય તો એ મને લાગે છે કે એ માત્ર ઈર્ષા, મસ્તીખોર અને પાગલપંતી છે. એને સિરિયસ્લી લેવાની જરૂર નથી.’

entertainment news bollywood news bollywood bollywood gossips alia bhatt ranbir kapoor Brahmastra