‘ભીડ’માં ખરેખર તમાચો મારવા રાજકુમાર રાવે મને કહ્યું હતું : આશુતોષ રાણા

20 March, 2023 04:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મ ૨૪ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે.

‘ભીડ’માં ખરેખર તમાચો મારવા રાજકુમાર રાવે મને કહ્યું હતું : આશુતોષ રાણા

આશુતોષ રાણાએ જણાવ્યું કે ‘ભીડ’ના એક સીન દરમ્યાન રાજકુમાર રાવે તેને રિયલમાં લાફો મારવા કહ્યું હતું જેથી એ રિયલ દેખાય. આ ફિલ્મમાં તેની સાથે ભૂમિ પેડણેકર, દિયા મિર્ઝા અને ક્રિતિકા કામરા પણ લીડ રોલમાં છે. કોવિડને કારણે લાગેલા લૉકડાઉનમાં લોકોની થયેલી કફોડી હાલત પર ફિલ્મની સ્ટોરી પ્રકાશ પાડશે. આ ફિલ્મ ૨૪ માર્ચે થિયેટરમાં રિલીઝ થવાની છે. રાજકુમાર રાવ વિશે જણાવતાં આશુતોષ રાણાએ કહ્યું કે ‘મને યાદ છે કે રાજકુમારે મને એ સીનને રિયલ અને વિશ્વસનીય દેખાડવા માટે ખરેખર તમાચો મારવાની વિનંતી કરી હતી. શરૂઆતમાં તો હું તૈયાર નહોતો, પરંતુ અનુભવ સિંહાએ આવીને મને જણાવ્યું કે જો રાજકુમાર તૈયાર છે તો તને એ સીન કરવામાં વાંધો શું છે? એથી અમે આગળ વધ્યા અને એક ટેકમાં એ સીન પૂરો કર્યો. કૅમેરાપર્સન સાથે સારો તાલમેલ હતો અને એ સીન ખૂબ અસરકારક બન્યો છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood ashutosh rana rajkummar rao