રજનીકાંતની દીકરી એશ્વર્યાના ઘરે ચોરી, લોકરમાંથી સોનાનાં ઘરેણાં ગાયબ,આના પર છે શંકા

20 March, 2023 02:30 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રજનીકાંતની દીકરી (Rajinikanth Daughter) ના ઘરમાંથી ચોરી થઈ છે. તેણીને ઘરમાં રહેતા આ લોકો પર શંકા જતાવી છે.

રજનીકાંત અને તેમની દીકરી

તમિલ મેગા સ્ટાર રજનીકાંત (Rajinikanth Daugter)ની દીકરી એશ્વર્યા રજનીકાંત(Aishwarya rajinikanth)ના ઘરે ચોરી થઈ છે. એશ્વર્યના લોકરમાંથી તેના સોનાનાં ઘરેણાં ગાયબ થઈ ગયા છે.આ મામલે એશ્વર્યાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.તેમજ પોતાના ઘરમાંથી ચોરી થયેલા ઘરેણાં મામલે તેણીએ તેના ત્રણ નોકર પર શંકા વ્યક્ત કરી છે.એશ્વર્યા પોતાના દીકરા સાથે રહે છે અને સોનાનાં ઘરેણાં તેણીએ પોતાના ઘરના લોકરમાં સાચવી રાખ્યા હતાં. 

ચેન્નઈના તેનામપેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં એશ્વર્યાએ કહ્યું કે તે વધારે ઘરમાં રહેતી હોતી નથી અને ઘરના નોકરોની અવર-જવર રહેતી હોય છે.તેણીએ કહ્યું કે જ્વેલરીની કિંમત 3.6 લાખ રૂપિયા હતી, પરંતુ તે ઘેરણાંનું મહત્વ વધુ હતું. 

આ પણ વાંચો: 1BHK ઘરમાં સરળ જીવન જીવે છે Salman Khan, મુકેશ છાબરાએ કર્યા અનેક ખુલાસા

એશ્વર્યા રજનીકાંત એક ફિલ્મ નિર્દેશક અને નિર્માતા છે, વર્તમાનમાં ફિલ્મ `લાલ સલામ`નું નિર્દેશન કરી રહી છે. જેમાં વિષ્ણુ વિશાલ અને વિક્રાંચ મુખ્ય ભૂમિકામાં છે અને તેના પિતા રજનીકાંત કેમિયોની ભૂમિકા નિભાવી રહ્યાં છે. 

bollywood news rajinikanth entertainment news tamil nadu